પંજાબી સિંગર દિલજાનનું એક માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. આ માહિતી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘે ટ્વીટ દ્વારા આપી છે.
પંજાબી સિંગરનું થયું અવસાન
જાણીતા યુવા સિંગર હતા દિલજાન
પંજાબ CM સિંઘે ટ્વિટ કરીને આપી જાણકારી
પંજાબી સિંગર દિલજાનનું એક માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. આ માહિતી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘએ ટ્વીટ દ્વારા આપી છે. પંજાબના મુખ્યમંત્રીએ આ મામલે દિલજાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. દિલજાનના મોત અંગે માહિતી આપતાં પંજાબ સીએમએ કહ્યું હતું કે, 'આજે એક માર્ગ અકસ્માતમાં પંજાબના યુવા ગાયક દિલજાનના અચાનક નિધનથી હું ચોંકી ગયો છું. માર્ગ અકસ્માતમાં આવા યુવાનની જિંદગી ગુમાવવી એ દુ:ખની વાત છે. તેના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યેની મારી સંવેદના છે. RIP '
Shocked at the tragic death of young and promising Punjabi singer Diljaan in a road accident earlier today. It is extremely sad to lose young lives like these on road. My condolences to the family, friends and fans. RIP! pic.twitter.com/ZLxQidrO5P
મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે દિલજાનનું મંગળવારે સવારે માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ માર્ગ અકસ્માતની ઘટના અમૃતસર-જાલંધર હાઇવે પર બનવા પામી હતી. કેટલાક લોકો દિલજાનને હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો.
મહત્વનું છે કે દિલજાન ટૂંક સમયમાં તેનું નવું ગીત 'તેરે વર્ગે 2' લોન્ચ કરવા જઈ રહ્યો હતો. તેનું ટીઝર 28 માર્ચે રિલીઝ થયું હતું અને તેણે તેના ફેસબુક પરથી તેની માહિતી આપી હતી. આ સિવાય તે બીજા ઘણા ગીતોના પ્રોજેકટ પર કામ કરી રહ્યો હતો. નોંધનીય છે કે દિલજાનનો પરિવાર કેનેડામાં રહે છે.