કેન્દ્રીય કૃષિ કાયદાની વિરૃદ્ધ દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. અત્યાર સુધી 60 કરતા પણ વધારે ખેડૂતોએ આપઘાત કરી લીધો છે ત્યારે શનિવારે ખેડૂત સંગઠનના વધુ એક કાર્યકરે આપઘાત કરી લીધો હતો.
અત્યાર સુધી 60 કરતા પણ વધારે ખેડૂતનો આપઘાત
રતનસિંહ મૂળ અમૃતસરના, છેલ્લા કેટલાક દિવસથી આંદોલનમાં સામેલ થયા હતા.
કેન્દ્રીય કૃષિ કાયદાની વિરૃદ્ધ દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. અત્યાર સુધી 60 કરતા પણ વધારે ખેડૂતોએ આપઘાત કરી લીધો છે ત્યારે શનિવારે ખેડૂત સંગઠનના વધુ એક કાર્યકરે આપઘાત કરી લીધો હતો.
આપઘાત કરનાર ખેડૂતનું નામ રતનસિંહ છે અને તેમની ઉંમર 75 વર્ષની હતી. તેઓ મૂળ અમૃતસરના રહેવાશી હતા અને છેલ્લા કેટલાક દિવસથી આંદોલનમાં સામેલ થયા હતા. તેમના આપઘાતના સમાચાર મળતા ગામલોકોમાં શોકનું મોજૂ ફરી વળ્યું હતું.
દિલ્હી બોર્ડર પર ખેડૂતો છેલ્લા 50 દિવસથી કેન્દ્રના કૃષિ કાયદાની વિરૃદ્ધમાં દેખાવ કરી રહ્યાં છે.ખેડૂતોને આ 3 કાયદાને પાછા ખેંચવાથી ઓછું કંઈ પણ ખપતું નથી તો સામે પક્ષે સરકાર પણ કાયદા ન ખેંચવા મક્કમ બની છે. કેન્દ્ર સરકારે આ કાયદાને 18 મહિના સુધી સ્થગિત કરવાની જે ઓફર આપી હતી તે ખેડૂતોએ ફગાવી દીધી છે. ખેડૂતો 3 કાયદા સંપૂર્ણપણે રદ કરવાના પક્ષમાં છે. કેન્દ્રીય કૃષિ મંત્રી તોમર સ્પસ્ટ કહી ચૂક્યા છે કે સરકાર આનાથી વધારે કંઈ કરી શકે તેમ નથી.
ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢી શકશે? દિલ્હી પોલીસની મહત્વની બેઠક
ખેડૂતોની ટ્રેકટર રેલીના મુદ્દે શનિવારે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓની એક તાકીદની બેઠક મળી હતી અને તેમાં ખેડૂતોને 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવા દેવી કે નહીં તે અંગેની ચર્ચા કરાઈ હતી. અત્યાર સુધી ખેડૂત અને સરકાર વચ્ચે 11 રાઉન્ડ મંત્રણા યોજાઈ છે તેમ છતાં પણ કંઈ નક્કર સમાધાન નીકળતું નથી.