પંજાબના લુધિયાણાના પાયલ નગરની નજીક મોડી રાતે એક મોટી દુર્ઘટના ઘટી ગઈ. નહેરમાં એક કાર પડી જતાં 5 લોકોના મોત થઈ ગયા હતા.
લુધિયાણામાં મોટી દુર્ઘટના
નહેરમાં ખાબકી ફોર્ચ્યુનર કાર
કારમાં સવાર 5 લોકોના મોત
પંજાબના લુધિયાણાના પાયલ નગરની નજીક મોડી રાતે એક મોટી દુર્ઘટના ઘટી ગઈ. નહેરમાં એક કાર પડી જતાં 5 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે અન્ય એક શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં માન્યું છે કે, કાર બેકાબૂ થઈને નહેરમાં પડી ગઈ હતી. જો કે, વિસ્તૃત તપાસ બાદ તેના વિશે આગળ કંઈક ઠોસ કહી શકાયું નથી.
મોડી રાતે ઘટી આ દુર્ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, દુર્ઘટના સોમવાર રાતે 11.30 કલાકની આસપાસ થઈ હતી. ફોર્ચ્યુનર કારમાં સવાર થઈને છ લોકો જઈ રહ્યા હતા. જ્યારે તેઓ પાયલ નજીકના ગામ ઝંમટ પુલ પર પહોંચ્યા, તો તેમની કાર નહેરમાં જઈને પડી હતી. દુર્ઘટનાની જાણ થતાં પોલીસ સ્થાનિક લોકોની મદદથી કારને નહેરમાંથી કાઢવા લાગ્યા હતા. કાર ક્ષિતગ્રસ્ત થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, મૃતકોની ઓળખાણ જતિન્દર સિંહ, પુત્ર ભગવંત સિંહ, જગતાર સિંહ, પુત્ર બાવા સિંહ, જગ્ગા સિંહ, પુત્ર ભજન સિંહ, કુલદીપ સિંહ, પુત્ર કરનૈલ સિંહ નિવાસી અને જગદીપ સિંહ પુત્ર ગુરમિત સિંહ તરીકે થઈ હતી.
એક અઠવાડીયામાં આ બીજી ઘટના
આ કારમાં સવાર સંદીપ સિંહ પુત્ર મેવા સિંહ નિવાસી નંગલા આ દુર્ઘટનામાં બચી ગયો હતો. તે નહેરમાં તરીને બહાર આવવામાં સફળ રહ્યો હતો. દુર્ઘટનામાં જીવતો બચેલો સંદીપને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામા આવ્યો હતો. પોલીસે મંગળવારે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે કે, કાર બેકાબૂ થતાં નહેરમાં જઈને પડી હતી. આપને જણાવી દઈએ કે, છેલ્લા એક અઠવાડીયામાં નહેરમાં પડવાથી 7 લોકોમાંથી 5 લોકોના મોત થઈ ગયા છે.