પંજાબ સરકારે તાજેતરમાં જ નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી ઘટાડીને 58 કરી દીધી છે. અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર પણ નિવૃત્તિ વયમર્યાદા ઘટાડાવા લાંબા સમયથી વિચારણા કરી રહી છે. પ્રશ્ન એ છે કે શું રિટાયર્મેન્ટની વયમર્યાદા ઘટાડવાથી ફાયદો થઇ શકે છે?
પંજાબ સરકારે તાજેતરમાં જ નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી ઘટાડીને 58 કરી
1962માં રિટાયર્મેન્ટની વયમર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ કરાઇ હતી
કેન્દ્ર સરકાર પણ નિવૃત્તિ વયમર્યાદા ઘટાડાવા લાંબા સમયથી વિચારણા કરી રહી છે
ભારતમાં રિટાયર્મેન્ટની વયમર્યાદા વખતો વખત વધારવામાં આવી છે. 1962માં રિટાયર્મેન્ટની વયમર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ કરાઇ હતી. ત્યાર બાદ 1998માં તે વધારીને 60 વર્ષ કરાઇ છે, પરંતુ પેન્શન પાછળ થતાં ખર્ચને ધ્યાને લેવાય તો તેના ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે જો નિવૃત્તિ વયમર્યાદા ઘટાડાય તો સરકારને ફાયદો થઇ શકે છે.
વાસ્તવમાં કાર્યરત કર્મચારીઓના પગાર બિલમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને સાતમા પગારપંચની ભલામણ અનુસાર પગારમાં તોતિંગ વધારો થયો છે અને પગારની સાથે સાથે ફુગાવાજન્ય દબાણના કારણે દર વર્ષે કર્મચારીઓને ડીએ પણ ચૂકવવું પડે છે.
સરકારનું માનવું છે કે પગાર બિલ કરતાં પેન્શન બિલ ઓછું આવશે. તેથી વધુ ને વધુ કર્મચારી વહેલા નિવૃત્ત થાય તેવું સરકાર ઇચ્છે છે.