બ્રેકિંગ ન્યુઝ
VTV / punjab to reduce govt employees retirement age to 58 years
Mehul
Last Updated: 03:44 PM, 29 February 2020
ADVERTISEMENT
ભારતમાં રિટાયર્મેન્ટની વયમર્યાદા વખતો વખત વધારવામાં આવી છે. 1962માં રિટાયર્મેન્ટની વયમર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ કરાઇ હતી. ત્યાર બાદ 1998માં તે વધારીને 60 વર્ષ કરાઇ છે, પરંતુ પેન્શન પાછળ થતાં ખર્ચને ધ્યાને લેવાય તો તેના ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે જો નિવૃત્તિ વયમર્યાદા ઘટાડાય તો સરકારને ફાયદો થઇ શકે છે.
ADVERTISEMENT
વાસ્તવમાં કાર્યરત કર્મચારીઓના પગાર બિલમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને સાતમા પગારપંચની ભલામણ અનુસાર પગારમાં તોતિંગ વધારો થયો છે અને પગારની સાથે સાથે ફુગાવાજન્ય દબાણના કારણે દર વર્ષે કર્મચારીઓને ડીએ પણ ચૂકવવું પડે છે.
સરકારનું માનવું છે કે પગાર બિલ કરતાં પેન્શન બિલ ઓછું આવશે. તેથી વધુ ને વધુ કર્મચારી વહેલા નિવૃત્ત થાય તેવું સરકાર ઇચ્છે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.