બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ને ભારત- પાકિસ્તાન સીમા પર 5 ઘૂસણખોરોના ઠાર કરવામાં આવ્યા છે. પંજાબના તરનતારનમાં 5 આતંકવાદીઓ સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે બીએસએફની 103 બટાલિયને પાંચેયને ઠાર માર્યા હતા. આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.
પંજાબ બોર્ડર BSFએ 5 આતંકીઓને કર્યા ઠાર
ઘુસણખોરી કરતા આંતકીઓ કરાયા ઠાર
BSFએ મોટી સંખ્યામાં હથિયાર કબ્જે કર્યા
Alert troops of 103 battalion of BSF noticed suspicious movement of intruders violating International Border along Tarn Taran, Punjab.Upon being challenged to stop,intruders fired upon BSF troops who retaliated in self-defence. Resultantly,5 intruders were shot. Search ops on:BSF pic.twitter.com/6PhA4mY6RC
પંજાબને અડેલી પાકિસ્તાની બોર્ડર પર સુરક્ષાદળોએ 5 ઘૂસણખોરોને ઠાર કરી દીધા છે. તરનતારનના ખેમકરનમાં સીમા સુરક્ષા દળોએ મોટી કાર્યવાહીને અજામ આપ્યો છે. મળતી માહિતી મુજબ આ કાર્યવાહી શનિવારે કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.
બીએસએફે લગભગ 4.45 વાગે ગોળીઓ ચલાવી હતી. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે સ્પેશિયલ સેલે દિલ્હીમાં એક આતંકવાદીને વિસ્ફોટકો સાથે ઝડપી પાડ્યો છે.