સુખજિંદર સિંહ રંધાવાએ કોઈ હિંદુને નેતા બનાવવાને લઈને આપત્તિ જાહેર કરી છે. રંધાવાએ કહ્યું કે પંજાબના સીએમ કોઈ જાટ કે શીખને બનાવવામાં આવે. આજે નવા સીએમનું નામ ફાઈનલ થશે.
આજે પંજાબને મળશે નવા સીએમ
પંજાબના સીએમ કોઈ જાટ કે શીખને બનાવાયઃ રંધાવા
મોડીરાતે રાહુલ ગાંધીએ કરી મિટીંગ
પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહના મુખ્યમંત્રી પદથી રાજીનામા બાદ પ્રદેશના નવા મુખ્યમંત્રીની રીતે ભલે સુનીલ જાખડનું નામ સૌથી ઉપર હોય પણ વિધાયક દળના નેતાના રૂપમાં તેઓ એકમત નથી. આ કારણ છે કે ફરી એકવાર વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ધારાસભ્યોની સાથે હાઈ કમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા ત્રણેય વ્યક્તિઓ હાજર રહેશે.
સુનીલ જાખરનું નામ મોખરે
કેપ્ટનના રાજીનામા બાદથી જ સુનીલ જાખરનું નામ સૌથી ઉપર છે. જો કે પાર્ટી નેતા સુખજિંદર સિંહ રંઘાવાએ કોઈ હિંદુને વિધાયક દળના નેતા બનાવવાને લઈને આપત્તિ જાહેર કરી હતી. તેમનું કહેવું છે કે પંજાબના સીએમ કોઈ જાટ કે શીખને બનાવવામાં આવે. રંધાવાની માંગને જોતા હાઈકમાને આજે ફરી એક મીટિંગ બોલાવી છે જેમાં ધારાસભ્યના નેતાના નામ પર મહોર લગાવવામાં આવશે.
Amarinder Singh says let down by Congress leadership, party has ended up from winning to losing position in Punjab
શું રહ્ચો છે ઘટનાક્રમ
અત્યારસુધીના ઘટનાક્રમને જોતાં પંજાબના નવા સીએમને લઈને નિર્ણય પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી પર છોડવામાં આવ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબ કોંગ્રેસ વિધાયક દળની શનિવારે સાંજે એક બેઠકમાં નક્કી કરાયું કે નવા સીએમનો નિર્ણય પાર્ટી અધ્યક્ષ કરશે. ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી હતી પણ તેમાં કેપ્ટન પહોંચ્યા ન હતા. આ બેઠકમાં કેપ્ટનના સમર્થક દરેક ધારાસભ્યો હાજર હતા. શનિવારની મીટિંગ બાદ જાહેર કરાયુ છે કે ધારાસભ્યોની બેઠકમાં સર્વસંમતિથી 2 પ્રસ્તાવ પારિત કરાયા છે એકમાં ધારાસભ્યોએ કેપ્નનનો ધન્યવાદ કર્યો અને પાર્ટી માટેના તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. અન્યમાં પંજાબના નવા મુખ્યમંત્રીને પસંદ કરવાનો અધિકાર હાઈકમાનને આપ્યો છે.
સુનીલ જાખરનું નામ કેમ સૌથી આગળ
કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબના નવા સીએમના માટે સુનીલ જાખરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. સૂત્રોએ જાણકારી આપી છે. જાખર પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે 2012થી 2017 સુધી પંજાબ વિધાનસભામાં નેતા વિપક્ષ પણ રહ્યા છે. 2017માં ગુરદાસપુરમાં સાંસદ બન્યા અને પછી અબોહર વિધાનસભા સીટથી 3 વાર ધારાસભ્ય બન્યા. તેઓ લોકસભાના પૂર્વ સ્પીકર બલરામ જાખરના દીકરા છે. તેમની ગણતરી પંજાબ કોંગ્રેસના મોટા નેતાઓમાં થાય છે.