પંજાબમાં જલિયાવાલા બાગની રિનોવેશન બાદ કરવામાં આવેલા ફેરફારને રદ્દ કરાવવા પંજાબ વિદ્યાર્થી સંઘ અને યુવાન ભારત સભાએ અનિશ્ચિતકાલીન ધરણા શરુ કરી દીધા છે.
જલિયાવાલા બાગની રિનોવેશન બાદ કરવામાં આવેલા ફેરફારને રદ્દ કરાવવા યુવાને ધરણા પર
સ્મારકનો દ્રષ્ટિકોણ બદલવાથી ઈતિહાસની કહાની પણ બદલાઈ જાય- હરદીપ કોર
કુવાને પણ ઢાંકી દેવામાં આવ્યો છે
જલિયાવાલા બાગની રિનોવેશનમાં થયેલા ફેરફારને રદ્દ કરાવવા યુવાને ધરણા પર
ખેડૂત આંદોલન બાદ પંજાબથી એક તરફ વધું એક આંદોલનનો અવાજ આવી રહ્યો છે. જેમાં કેન્દ્ર સરકારની મુશ્કેલી વધી શકે છે. પંજાબમાં જલિયાવાલા બાગની રિનોવેશન બાદ કરવામાં આવેલા ફેરફારને રદ્દ કરાવવા માટે પંજાબ વિદ્યાર્થી સંઘ અને યુવાન ભારત સભાએ મંગળવારે અનિશ્ચિતકાલીન ધરણા શરુ કરી દીધા છે. પંજાબ વિદ્યાર્થી સંઘની એક પ્રદર્શનકારી હરદીપ કૌરે કહ્યું કે આ વિરોધ ત્યાં સુધી જારી રહેશે જ્યાં સુધી તે એક ઐતિહાસિક સ્મારકને તેના મૂળ સ્વરુપમાં પાછું નથી લાવી દેતા.
સ્મારકનો દ્રષ્ટિકોણ બદલવાથી ઈતિહાસની કહાની પણ બદલાઈ જાય- હરદીપ કોર
હરદીપ કોરે કહ્યું કે ઐતિહાસિક સ્મારકનો દ્રષ્ટિકોણ બદલવાથી ઈતિહાસની કહાની પણ બદલાઈ જાય છે. પહેલા આમાં એક ગેટ હતો. હવે અમાં 2 છે. પહેલી વાર આને જોનારા લોકો સવાલ કરશે કે જો બે દરવાજા હતા તો લોકો કેમ કુવામાં કુદ્યા હતા.
અહીં મરનારા મુસલમાનોના નામ કેમ કાપી દેવામાં આવ્યા?
એક રાજનીતિક એજન્ડનો આરોપ લગાવતા કહ્યું કે ફેસ લિફ્ટ બાદ પ્રવેશ એવું લાગે છે જાણે લોકો મેળામાં જઈ રહ્યા છે. ભાજપાના પ્રતીક કમણને પણ દરવાજામાં રાખવામાં આવ્યું છે. કોઈ બીજા ફુલનો ઉપયોગ કેમ ન કર્યો? અહીં મરનારા મુસલમાનોના નામ કેમ કાપી દેવામાં આવ્યા? શું આ કોઈ એજન્ડા છે?
કુવાને પણ ઢાંકી દેવામાં આવ્યો છે
પંજાબ વિદ્યાર્થી સંઘના પ્રદર્શનકારી રણબીર સિંહ રંધાવાએ કહ્યું કે લુક સંપૂર્ણ રીત બદલાઈ ગયું છે. જ્યારે તમે પ્રવેશ કરો છો તો નૃત્ય કરનારા લોકોની મુર્તિઓ હોય છે. આ જગ્યાને લઈને એવું ફીલ નથી થતું કે આણે અહીં સંઘર્ષ જોયો હોય કે કુવાને પણ ઢાંકી દેવામાં આવ્યો છે.
જલિયાવાલા બાગમાં સંઘર્ષ એક સામ્રાજ્યવાદ વિરોધી હતો
આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો જલિયાવાલા બાગમાં સંઘર્ષ એક સામ્રાજ્યવાદ વિરોધી હતો. પરંતુ ભાજપાએ આને રાષ્ટ્રવાદીમાં બદલી નાંખ્યો છે. જ્યારે તે આ રીતે રજૂ કરે છે તો તે દેખાય છે કે મુસલમાન રાષ્ટ્ર વિરોધી હતા. તેમણે પ્રયાસો કર્યા છે કે પંજાબ ઈતિહાસની કહાની બદલાઈ ગઈ છે પરંતુ અહીં તે યુવા આની ઈચ્છત નહીં આપે.
પીએમઓનો લૂલો બચાવ
પીએમઓ અનુસાર બેકાર અને ઓછી ઉપયોગી વાળી ઈમારતોના અનુકુલ પુનઃ ઉપયોગના માધ્યમથી 4 સંગ્રહાલય બનાવવામાં આવ્યા છે. સંગ્રહાલય તે અવધિ દરમિયાન પંજાબમાં સામે આવેલી ઘટનાઓના ઐતિહાસિક મૂલ્યને દર્શાવે છે. 13 એપ્રિલ 1919એ થયેલી ઘટનાઓને પ્રદર્શિત કરવા માટે એક સાઉન્ડ એન્ડ લાઈટ શો પણ સ્થાપિત કરવામાં આવ્યો છે.