કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા માટે પાકિસ્તાન જતા પહેલા પંજાબમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુના ફોટાવાળા પોસ્ટર જોવા મળી રહ્યા છે. આ પોસ્ટરોમાં એક તરફ ઇમરાન ખાન અને બીજી તરફ સિદ્ધુનો ફોટો લાગેલો છે જેને લઇને પંજાબમાં રાજકારણ ફરી ગરમાયું છે.
પોસ્ટરોમાં એક તરફ ઇમરાન ખાન અને બીજી તરફ સિદ્ધુનો ફોટો
ક્રેડિટ નવજોત સિંહ સિદ્ધને નહીં પરંતુ કેન્દ્ર સરકારનેઃ ભાજપ
હરપાલ સિંહે કહ્યું કે બુધવારે વધુ કેટલાક પોસ્ટર લગાવવામાં આવશે
સિદ્ધુ અને ઇમરાનના ફોટો વાળા પોસ્ટરોમાં બન્નેને અસલી હીરો ગણાવ્યા છે. પોસ્ટર લાગ્યા બાદ ભાજપે સિદ્ધુને પાકિસ્તાનના આઇએસઆઇ એજન્ટ ગણાવ્યા છે. જોકે, ફોટો ઝડપથી શેર થયા બાદ તાત્કાલિક તેને હટાવી દેવામાં આવ્યું.
ભાજપ પ્રવક્તા રાજેશ હનીએ કહ્યું કે અમૃતસરમાં ઇમરાન ખાનની સાથે નવજોત સિંહ સિદ્ધુના પોસ્ટર લાગવા ખોટું છે. તેમણે કહ્યું કે કરતારપુર કોરિડોરની ક્રેડિટ નવજોત સિંહ સિદ્ધને નહીં પરંતુ કેન્દ્ર સરકારને જાય છે.
રાજેશ હનીએ કહ્યું કે પોસ્ટરમાં ઇમરાન ખાન અને નવજોત સિદ્ધુને હીરો ગણાવ્યા છે. સિદ્ધુ આઇએસઆઇના એન્જટ તરીકે પહેલા પણ કામ કરતા હતા અને હજુ પણ કરી રહ્યા છે. સિદ્ધુ દેશદ્રોહી છે અને આઇએસઆઇના હાથોમાં રમીને દેશનો માહોલ ખરાબ કરી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, વેરકાના એક પાર્ષદ માસ્ટર હરપાલ સિંહે આ પોસ્ટર લગાવ્યા છે. તેમણે કહ્યું કે કરતારપુર કોરિડોરના પ્રયાસ કરવાનાર બન્ને નેતાઓને ધન્યવાદ આપવા માંગુ છું એટલા માટે આ પોસ્ટર લગાવ્યા છે. સાથે જ હરપાલ સિંહે કહ્યું કે બુધવારે વધુ કેટલાક પોસ્ટર લગાવવામાં આવશે.