કેપ્ટન અમરિન્દરને પંજાબના સીએમ પદેથી હટાવ્યાંના મહિના બાદ હવે રાહુલ ગાંધીએ આ મુદ્દે મોં ખોલ્યું છે. પંજાબના ફતેહગઢ સાહેબમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને કહીશ કે કેપ્ટન અમરિન્દરને પંજાબના સીએમ પદેથી કેમ હટાવાયા. તેનુ કારણ એ છે કે તેઓ ગરીબ લોકોને મફત વીજળી આપવા માગતા નહોતા. રાહુલે કહ્યું કે કેપ્ટન કહેતા રહ્યાં કે તેમના વીજ વીતરણ કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટસ છે. અમરિન્દરે મને કહ્યું હતું કે અમે વીજળી માફ ન કરી શકીએ કારણ કે અમારો વીજળી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ છે.
I will tell you why was Capt Amarinder Singh removed as the CM of Punjab. It is because he did not agree to provide free electricity to the poor people. He said I have a contract with the Power supplying companies: Congress leader Rahul Gandhi in Fatehgarh Sahib, Punjab pic.twitter.com/wVak2BhHwK
કેપ્ટન અમરિન્દરે વીજળી માફ ન કરી એટલે હટાવાયા-રાહુલ
કેપ્ટનને અડફેટે લેતા રાહુલે કહ્યું કે તમે (અમરિન્દર) પંજાબના ચીફ મિનિસ્ટર છો. શું તમારો પંજાબના લોકોની સાથે કરાર નથી કે શું. આ સવાલ મેં ચન્નીને પૂછ્યો કે તમે સીએમ બન્યાં છો અને વીજળી માફી પંજાબના લોકો માટે મહત્વનો મુદ્દો છે. તેનો તમે જોઈને ઉકેલ લાવો. ચન્નીએ એવું નથી કહ્યું કે અમારો કોઈની સાથે કોન્ટ્રાક્ટ છે. ચન્નીએ અચાનક જ 20 લાખ પરિવારોના 1500 કરોડ રુપિયા માફ કરી દીધા.
ડિસેમ્બર 2021માં કોંગ્રેસે અમરિન્દરને સીએમ પદેથી હટાવ્યાં હતા
2017ની ચૂંટણીમાં કેપ્ટન અમરિન્દરની આગેવાનીમાં સત્તામાં આવનાર કોંગ્રેસે ગયા વર્ષના ડિસેમ્બરમાં અમરિન્દરને હટાવીને ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યાં હતા. હવે કેપ્ટને અલગ પાર્ટી બનાવી છે અને તેઓ ભાજપની સાથે મળીને 2022ની વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે. છે.
પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 20 ફેબ્રુઆરીએ મતદાન
પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 20 ફેબ્રુઆરીએ મતદાન છે, જેના કારણે રાજકીય પક્ષોએ પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ છોડીને પંજાબ લોક કોંગ્રેસના નામથી અલગ પાર્ટી બનાવનારા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સ્પસ્ટ શબ્દોમાં કહ્યું કે રાજીવ ગાંધી મારા મિત્ર હતા. તે અમારી સાથે ભણતા હતા. અમે તેમના બાળકો વિશે કંઇ કહીશું નહીં.
રાહુલ કે પ્રિયંકા પર કોઈ નિવેદન નહીં આપું-અમરિન્દરે કહ્યું હતું
પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર પાર્ટી તો છોડી દીધી છે પરંતુ તેમની વફાદારી હજુ પણ એવીને એવી જ છે. કોંગ્રેસમાંથી અલગ થઈને નવી પાર્ટી બનાવીને તથા ભાજપ સાથે ગઠબંધન કરીને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડનાર કેપ્ટન અમરિન્દરે એવું કહ્યું કે રાજીવ ગાંધી મારા મિત્ર હતા અને તેઓ મારા પરમ મિત્ર હતા તેથી હું તેમના સંતાનો રાહુલ અને પ્રિયંકા ગાંધી પર વ્યક્તિગત રીતે કોઈ કોમેન્ટ ન કરી શકું કે તેમની પર હુમલા પણ ન કરી શકું.
પ્રિયંકા મારી પ્રપૌત્રી જેવી-કેપ્ટન અમરિન્દર
પ્રિયંકાને બાળક કહેવા પર અમરિંદર સિંહે કહ્યું કે, "મારે છોકરાના છોકરા છે અને પ્રિયંકાના પિતા મારા સારા મિત્ર હતા. તેથી આ મારા માટે ફક્ત બાળકો જ નથી. રાહુલ ગાંધીની ઉંમર 50 કે 52 વર્ષની હશે અને પ્રિયંકાની પણ કંઇક આવી જ હશે. તેનો અર્થ એ નથી કે તે આઇન્સ્ટાઇન અથવા ખૂબ મોટા માણસ બન્યા. તેઓ સામાન્ય રાજકારણીઓ છે. બધા રાજકારણીઓની જેમ જ. સમય જતાં તેમને અનુભવ મળશે.
મેં કોંગ્રેસ છોડી નથી મને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યો
અમરિંદર સિંહે કહ્યું કે, લોકો શું સમજે છે તે હું જાણતો નથી. હું 40 વર્ષ સુધી કોંગ્રેસમાં હતો અને પછી જે રીતે મને હાંકી કાઢવામાં આવ્યો તે ખોટું હતું. તમામ ધારાસભ્યો કોંગ્રેસ ભવન ખાતે એકઠા થયા હતા અને મારી વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.