હાલના સમયમાં પંજાબમાં વીજળી સંકટ આવી પડ્યું છે. તેમાં માત્ર સમાન્ય લોકો જ નહીં પરંતુ રાજકારણ પણ ગરમાયું છે.
ચૂંટણીના માહોલમાં 14-15 કલાક સુધી વીજળીનો કાપ
દેશમાં યુનિટ પર પૈસા સૌથી વધુ પંજાબમાં લેવાય છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચંદીગઢમાં એક રેલી કરી
ચૂંટણીના માહોલમાં 14-15 કલાક સુધી વીજળીનો કાપ
હાલના સમયમાં પંજાબમાં વીજળી સંકટ આવી પડ્યું છે. તેમાં માત્ર સમાન્ય લોકો જ નહીં પરંતુ રાજકારણ પણ ગરમાયું છે. નવજોત સિદ્ધુએ પણ પોતાની જ સરકાર પર વાર કર્યા હતા. સરકારે ઑફિસોમાં AC ના ચલાવવાના આદેશ આપ્યા છે. છેલ્લા ઘણા સમયથી પંજાબમાં કોંગ્રેસ નેતાઓ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. કારણકે આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ વિખવાદ વધી રહ્યો છે. ચૂંટણીના માહોલમાં 14-15 કલાક સુધી વીજળીના કાપને લઈને લોકો ગુસ્સે થઈ રહ્યા છે. ત્યાંની સરકારે 10 જુલાઇ સુધી બધા જ સરકારી કચેરીઓ ખોલવાના આદેશ આપ્યા છે. જે સવારે 8 વાગ્યાથી લઈ બપોરે એક વાગ્યા સુધી ખુલશે, સાથે જ આદેશ આપવમાં આવ્યો છે કે AC ચલાવવા નહીં.
દેશમાં યુનિટ પર પૈસા સૌથી વધુ પંજાબમાં લેવાય છે
ત્યાંની સરકારે 10 જુલાઇ સુધી બધા જ સરકારી કચેરીઓ ખોલવાના આદેશ આપ્યા છે. જે સવારે 8 વાગ્યાથી લઈ બપોરે એક વાગ્યા સુધી ખુલશે, સાથે જ આદેશ આપવમાં આવ્યો છે કે AC ચલાવવા નહીં. છેલ્લા ઘણા સમયથી સિદ્ધુ કેપ્ટન અમરિન્દર સિંહના કામથી નારાજ છે, અને અવારનવાર તેમના કામને લઈ મોરચો કાઢે છે. હવે આ વીજળી વાળા મામલામાં પણ તેમણે મુખ્ય મંત્રીને ઘેરી લીધા. તેમણે કહ્યું જે જો સરકાર સાચી દિશામાં કામ કરે તો પાવર કટની મુશ્કેલી આવે જ નહીં. તેમણે એ પણ કહ્યું કે બીજા રાજ્યણી તુલનામાં આપણે સૌથી વધુ બિલ ભરીએ છીએ.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચંદીગઢમાં એક રેલી કરી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચંદીગઢમાં એક રેલી કરી હતી. આ દરમિયાન 3 મોટા ચૂંટણી વાયદા કર્યા છે. કેજરીવાલે કહ્યુ કે જો AAP સતામાં આવશે તો દરેક પરિવારને 300 યુનિટ વીજળી ફ્રી જૂનાં રેસિડેન્સ બિલ માફ કરવામાં આવશે અને 24 કલાક પાવર સપ્લાય આપવામાં આવશે તેવો વાયદો કર્યો હતો.