આજે સવારે BSF જવાનોએ પાકિસ્તાન તરફથી આવતા ડ્રોનને જોયું હતું. જે બાદ BSFના જવાનોએ ડ્રોન પર 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. BSFના ગોળીબાર બાદ ડ્રોન પરત ફર્યું હતું.
BSFના જવાનોએ ડ્રોન પર 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
BSFના ગોળીબાર બાદ ડ્રોન પરત ફર્યું હતું.
ઘટના બાદ પોલીસ અને BSFના જવાનોનું સર્ચ ઓપરેશન શરૂ
BSFના જવાનોએ બોર્ડર આઉટ પોસ્ટ પર પાકિસ્તાન તરફથી એક ડ્રોનને આવતું જોયું.
પંજાબના અમૃતસરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ફરી એક વાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું. જોકે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોના ગોળીબાર બાદ તે પાકિસ્તાન પાછું જતું રહ્યું હતું. આ ઘટના આજે સવારે 4 વાગ્યે બની હતી. BSFના જવાનોએ અમૃતસરના તહસીલ અજનલાના બોર્ડર આઉટ પોસ્ટ બુર્જ પર પાકિસ્તાન તરફથી એક ડ્રોનને આવતું જોયું. જે બાદ BSFના જવાનોએ ડ્રોન પર 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બીએસએફના ગોળીબાર બાદ ડ્રોન પરત ફર્યું હતું. ઘટના બાદ પોલીસ અને બીએસએફના જવાનોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
ગત માસમાં બે વખત પાકિસ્તાની ડ્રોન ભારતીય વિસ્તારમાં ઘુસ્યા હતા
પંજાબમાં સરહદ પારથી છેલ્લા કેટલાક સમયથી ડ્રોન આવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઓક્ટોબર મહિનામાં બે વખત પાકિસ્તાની ડ્રોન ભારતીય વિસ્તારમાં ઘુસ્યા હતા. ઓક્ટોબરના અંતમાં અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. અજનાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર શાહપુર બોર્ડર પોસ્ટ પાસે એક ડ્રોન જોવા મળ્યું હતું, જેના પર બોર્ડર સિક્યુરિટી ફોર્સની 73મી બટાલિયન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબાર કર્યા બાદ તે પાકિસ્તાન પરત ગયો હતો.આવું જ એક ડ્રોન 19 અને 20 ઓક્ટોબરની મધ્યરાત્રિએ અમૃતસર સેક્ટરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર જોવા મળ્યું હતું, જેના પછી BSFએ ગોળીબાર કર્યો હતો. આ પછી, બીએસએફના જવાનોએ વિસ્તારની તપાસ કર્યા પછી એક કિલો હેરોઈન અને તેની સાથે જોડાયેલ લોખંડની વીંટી મળી આવી.
એન્ટી-ડ્રોન સુરક્ષા કવચ પ્રદાન કરવા માટે IAF સ્ટેશનો પર ગાર્ડ્સ તૈનાત કરાયા
તાજેતરના મહિનાઓમાં ડ્રોન જોયા પછી, આ મહત્વપૂર્ણ સ્થાપનોને એન્ટી-ડ્રોન સુરક્ષા કવચ પ્રદાન કરવા માટે શ્રીનગર અને જમ્મુના IAF સ્ટેશનો પર નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (NSGs) તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પંજાબમાં પાકિસ્તાનથી આવતા ડ્રોન સતત જોવા મળે છે. આ ડ્રોન પંજાબમાં હથિયારો છોડી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબમાં ઘણી વખત ડ્રોનથી છોડવામાં આવેલા હથિયારોનો મોટો જથ્થો ઝડપાયો છે. સુરક્ષા નિષ્ણાતોને આશંકા છે કે પંજાબમાં છોડવામાં આવેલા હથિયારોનો આ કન્સાઈનમેન્ટ કાશ્મીરમાં સપ્લાય કરવાનો હતો.