આજે પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિંહ ચન્ની શપથગ્રહણ કરશે. તેઓ પંજાબના પ્રથમ શીખ દલિત નેતા તરીકે મુખ્યમંત્રી બનશે.
કેપ્ટન અમરિન્દર સિંઘ બાદ હવે પંજાબને નવા મુખ્યમંત્રી મળી ગયા છે. કોંગ્રેસ હાઇકમાંડે કેબિનેટ મંત્રી અને ત્રણ વખતના વિધાયક ચરણજીત સિંહ ચન્ની પર પસંદગી ઉતારી છે. આગળની ફેબ્રુઆરી-માર્ચની ચૂંટણી અગાઉ દલિત શીખ નેતાને કમાન સોંપીને કોંગ્રેસે દાવ ખેલ્યો છે.
આજે સવારે 11 વાગ્યે ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી પડે શપથ લેશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે પંજાબના લોકોનએ કરવામાં આવેલા વાયદા પૂરા કરવા જરૂરી છે. તેઓનો વિશ્વાસ સર્વોપરી છે.
રાજ્યપાલને મળ્યા
ચરણજીત સિંહ ચન્ની તેમનું નામ જાહેર થતાં જ ચંદીગઢ સ્થિત રાજભવન જઈને રાજ્યપાલને મળ્યા હતા. ચન્ની સાથે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પણ હતા અને કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત પણ હાજર હતા. અડધા કલાકની મુલાકાત બાદ તેઓ રાજભવનથી બહાર નિકળી મીડિયા સાથે વાતચીત કરી હતી. અને શપથ ગ્રહણની માહિતી આપી હતી.
Congratulations to Shri Charanjit Singh Channi Ji for the new responsibility.
We must continue to fulfill the promises made to the people of Punjab. Their trust is of paramount importance.
ચન્નીને અભિનંદન આપતા અમરિન્દરે ટ્વિટ કરીને જણાવ્યું કે ચરણજીત સિંહ ચન્નીને મારી શુભકામનાઓ. આશા રાખું કે તેઓ પંજાબની સરહદ ને સુરક્ષિત રાખીને સરહદ પારના ખતરાથી આપણા લોકોની રક્ષા કરશે.
પંજાબ વિધાનસભા પક્ષના નેતા ચૂંટાયા બાદ હવે આજે 11 વાગ્યે ચરણજીત ચન્ની મુખ્યમંત્રી પદના શપથ લઈ રહ્યાં છે. દલિત શીખ સમુદાયમાંથી આવે છે ચન્ની
ચન્ની દલિત શીખ સમુદાયમાંથી આવે છે તેઓ અમરિન્દર સરકારમાં ટેકનોલોજી શિક્ષણ મંત્રી હતા. તેઓ પંજાબના મુખ્યમંત્રી બનનાર પહેલા દલિત સીએમ બન્યાં છે. પંજાબના દોઆબા ક્ષેત્રના કદ્દાવર કોંગ્રેસ નેતા છે.
કોગ્રેસ હાઈકમાન્ડે શા માટે મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યાં
ચરણજીત ચન્ની દલિત સમૂદાયના દિગ્ગજ નેતા છે અને તે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના ખાસ છે. ચરણજીત ચન્નીને મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસે દલિત સમુદાયને એક મોટો મેસેજ આપ્યો છે. દલિત નેતાને સીએમ બનાવીને કોંગ્રેસ એક મોટી વસતીને સાધવાનું કામ કર્યું છે. તેમને કમાન સોંપીને કોંગ્રેસે હિંદુ, દલિત અને શીખોને સાધવાનું કામ કર્યું છે. રાજ્યમાં દલિતોની લગભગ 20 ટકા વસતી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસની આ વોટબેન્ક વિખેરાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં દલિતો વોટ એકઠા કરવા માટેની આ સારી તક હતી.
લોકકલ્યાણના કામો કરતો રહીશ
મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા બાદ ચન્નીએ કહ્યું કે મારુ પહેલું કામ લોકો કલ્યાણકારી કામોને પુરા કરવાનું છે. હું બધા લોકોને સાથે રહીને ચાલીશ.