પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આજે રાજભવન ખાતે શપથગ્રહણ કર્યા હતા. તેમની સાથે સુખજીન્દર રંધાવા અને ઓપી સોનીએ પણ શપથ લીધા હતા.
પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આજે રાજભવન ખાતે શપથગ્રહણ કર્યા હતા. તેમની સાથે સુખજીન્દર રંધાવા અને ઓપી સોનીએ પણ શપથ લીધા હતા. તેમના શપથગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધી પડ્યા મોડા
રાહુલ ગાંધી રાજભવન પહોંચ્યા હતા. તેમની સાથે હરીશ રાવત અને અજય માકન પણ ચન્નીને અભિનંદન આપવા આવ્યા હતા. પરંતુ જ્યારે રાહુલ ગાંધી પહોંચ્યા ત્યારે શપથવિધિ પૂર્ણ થઈ ગઈ હતી.
દલિત શીખ નેતાને કમાન સોંપીને કોંગ્રેસે દાવ ખેલ્યો
કેપ્ટન અમરિન્દર સિંઘ બાદ હવે પંજાબને નવા મુખ્યમંત્રી મળી ગયા છે. કોંગ્રેસ હાઇકમાંડે કેબિનેટ મંત્રી અને ત્રણ વખતના વિધાયક ચરણજીત સિંહ ચન્ની પર પસંદગી ઉતારી છે. આગળની ફેબ્રુઆરી-માર્ચની ચૂંટણી અગાઉ દલિત શીખ નેતાને કમાન સોંપીને કોંગ્રેસે દાવ ખેલ્યો છે.
રાહુલ ગાંધી પણ હાજર રહ્યા
આજે સવારે 11 વાગ્યે ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી પદે શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો રાજભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા અગાઉ રાહુલે તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે પંજાબના લોકોનએ કરવામાં આવેલા વાયદા પૂરા કરવા જરૂરી છે. તેઓનો વિશ્વાસ સર્વોપરી છે.
રાજ્યપાલને મળ્યા
ચરણજીત સિંહ ચન્ની તેમનું નામ જાહેર થતાં જ ચંદીગઢ સ્થિત રાજભવન જઈને રાજ્યપાલને મળ્યા હતા. ચન્ની સાથે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પણ હતા અને કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત પણ હાજર હતા. અડધા કલાકની મુલાકાત બાદ તેઓ રાજભવનથી બહાર નિકળી મીડિયા સાથે વાતચીત કરી હતી. અને શપથ ગ્રહણની માહિતી આપી હતી.
પંજાબ વિધાનસભા પક્ષના નેતા ચૂંટાયા બાદ હવે આજે 11 વાગ્યે ચરણજીત ચન્ની મુખ્યમંત્રી પદના શપથ લઈ રહ્યાં છે. દલિત શીખ સમુદાયમાંથી આવે છે ચન્ની
ચન્ની દલિત શીખ સમુદાયમાંથી આવે છે તેઓ અમરિન્દર સરકારમાં ટેકનોલોજી શિક્ષણ મંત્રી હતા. તેઓ પંજાબના મુખ્યમંત્રી બનનાર પહેલા દલિત સીએમ બન્યાં છે. પંજાબના દોઆબા ક્ષેત્રના કદ્દાવર કોંગ્રેસ નેતા છે.
કોગ્રેસ હાઈકમાન્ડે શા માટે મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યાં
ચરણજીત ચન્ની દલિત સમૂદાયના દિગ્ગજ નેતા છે અને તે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના ખાસ છે. ચરણજીત ચન્નીને મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસે દલિત સમુદાયને એક મોટો મેસેજ આપ્યો છે. દલિત નેતાને સીએમ બનાવીને કોંગ્રેસ એક મોટી વસતીને સાધવાનું કામ કર્યું છે. તેમને કમાન સોંપીને કોંગ્રેસે હિંદુ, દલિત અને શીખોને સાધવાનું કામ કર્યું છે. રાજ્યમાં દલિતોની લગભગ 20 ટકા વસતી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસની આ વોટબેન્ક વિખેરાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં દલિતો વોટ એકઠા કરવા માટેની આ સારી તક હતી.
લોકકલ્યાણના કામો કરતો રહીશ
મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા બાદ ચન્નીએ કહ્યું કે મારુ પહેલું કામ લોકો કલ્યાણકારી કામોને પુરા કરવાનું છે. હું બધા લોકોને સાથે રહીને ચાલીશ.