જો તમે પણ ઘણા પ્રકારની ચુકવણી માટે તમારી ચેકબુકનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં પંજાબ નેશનલ બેંકના એ ગ્રાહકો જે નોન સીટીએસ કમ્પાલાયન્સ ચેકથી ચુકવણી કરે છે એ જાન્યુઆરી 2019 બાદથી પોતાની ચેકબુકનો ઉપયોગ કરી શકશે નહીં. પીએનબીએ આ ચેકને ડિસઓર્ડર કરવાનો નિર્ણય લીધો છે. બેંકે ગ્રાહકોને નવા સીટીએસ કમ્પ્લાયન્સ ચેક લેવા માટે કહ્યું છ જે ભરવામાં પહેલા કરતાં સરળ છે. જણાવી દઇએ કે ભારતીય રિઝર્વ બેંકે દરેક બેંકોને નિર્દેશ જારી કરીને કહ્યું હતું કે એ નોન સીટીએસ ચેકને ખતમ કરી દે.
પીએનબીએ આરબીઆઇના આ નિર્દેશોનું પાલન કરતાં પોતાના ગ્રાહકોને નોન સીટીએસ ચેકને પાછા કરીને નવા ચેક લેવા માટે કહ્યું છે. એની સાથે જ બેંકે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે એ જાન્યુઆરી 2019 બાદથી નોન સીટીએસ ચેકને સ્વીકાર કરશે નહીં. વાસ્તવમાં સીટીએસનો અર્થ 'ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ' હોય છે. આ ચેકને ક્લિયરન્સ માટે એક બેંકથી બીજી બેંકમાં લઇ જવાની જરૂર હોતી નથી.
પીએનબીએ આ માટે ગ્રાહકોને અધિસૂચના જારી કરી જાણકારી આપી છે. બેંકે કહ્યું છે કે નોન સીટીએસ સુવિધા વાળા ચેક જાન્યુઆરી 2019 બાદથી ક્લિયરન્સ માટે સ્વીકારવામાં આવશે નહીં. આ સાથે જ બેંકે પોતાના ગ્રાહકોને સીટીએસ ચેક લેવા માટે કહ્યું છે. ત્યારબાદ ચેકને ભૌતિક રૂપથી એક બેંકથી બીજી બેંકમાં લઇ જવાની જરૂર પડશે નહીં. એનાથી ચેક ક્લિયરન્સમાં પણ ઓછો સમય લાગે છે.