પંજાબ નેશનલ બેંક દ્વારા ઘર તથા અન્ય પ્રોપર્ટી ખરીદવા માટે ખાસ તક આપવામાં આવી રહી છે.
ઘરનું સપનું થશે સાકાર
આ બેન્ક આપી રહી છે સસ્તા દરે લોન
જાણો સમગ્ર વિગત વિશે
2021નું વર્ષ પૂર્ણ થવા આવ્યું છે અને ઘણા લોકો પોતાનું ઘરનું ઘર હોય તેવું સપનું સજાવીને બેઠા છે ત્યારે પંજાબ નેશનલ બેંક દ્વારા ઘર તથા અન્ય પ્રોપર્ટી ખરીદવા માટે ખાસ તક આપવામાં આવી રહી છે.
જો કોઇ વ્યક્તિ દુકાન, મકાન અથવા કોઈ અન્ય પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતું હોય તો તેમના માટે Punjab National Bank ખાસ ઓફર લઈને આવ્યું છે.
26 નવેમ્બરના રોજ ઈ-ઓક્શન
જો તમે પણ પંજાબ નેશનલ બેંકના મેગા ઈ-ઓક્શનમાં ભાગ લેવા ઇચ્છતા હોય તો 26 નવેમ્બર ખૂબ અગત્યની છે. કારણ કે, PNB 26 નવેમ્બરના રોજ આ મેગા ઈ-ઓક્શનનું આયોજન કરી રહી છે. આ હેઠળ તમે પણ આ ઓક્શનમાં બોલી લગાવી શકો છો.
પીએનબીએ ટ્વીટ કરીને માહિતી આપી
પંજાબ નેશનલ બેંકે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ જાણકારી આપી છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, મેગા ઈ-ઓક્શનમાં ભાગ લઈને તમે યોગ્ય કિંમતે રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. આ સાથે, તમે e-Bikray Portal પર આ સંબંધિત માહિતી પણ મેળવી શકો છો. આ સિવાય ગ્રાહકો તેમની નજીકની PNB શાખામાં જઈને પણ આ સંબંધિત તમામ માહિતી મેળવી શકે છે.
કઈ રીતે પ્રોપર્ટીની હરાજી કરે છે બેન્ક?
બેન્ક લોકોને લોન આપવા માટે બેન્કને ગેરેન્ટી માટે તેમની પાસેથી આવાસી સંપત્તિ અથવા વ્યાવસાયિક સંપત્તિ વગર ગિરવી રખાવે છે. જો લોન લેનાર વ્યક્તિ દેવું ન ચુકવી શકે તો બેન્ક વસુલી માટે તેમની જમા સંપત્તિઓની નિલામી કરે છે. બેન્કની સંબંધિત શાખા અખબારો અને મીડિયાના અન્ય માધ્યમો દ્વારા જાહેરાત પ્રકાશીત કરવામાં આવે છે. આ જાહેરાતમાં સંપત્તિઓની નીલામી સાથે જોડાયેલી જાણકારીઓ આપવામાં આવે છે.
બેંકો મિલકતોની હરાજી શા માટે કરે છે?
આ પહેલીવાર નથી કે મિલકતોની આ રીતે હરાજી થઈ રહી છે, ભૂતકાળમાં પણ આ રીતે મેગા ઈ-ઓક્શન થઈ ચૂક્યા છે. પરંતુ પહેલા અમે તમને જણાવીએ કે આ ઈ-ઓક્શન હેઠળ કઈ પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી છે.
PNB રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટીની હરાજી કરી રહી છે
લોન લીધા પછી, જો લોન સમયસર ચૂકવવામાં ન આવે, તો બેંક મિલકતનો કબજો લઈ લે છે.
આ હરાજીમાં, બેંકો મિલકત વેચીને તેમની બાકી રકમ વસૂલ કરે છે.
પીએનબી ઉપરાંત ઘણી બેંકો પણ આવી પ્રોપર્ટીની હરાજી કરે છે.
જો તમે સમયસર લોનની રકમ ચૂકવી શકતા નથી, તો બેંક દ્વારા મિલકતનો કબજો લેવામાં આવે છે
બેંકના કબજા પછી, મિલકતની માલિકી બેંકની પાસે છે, તેથી બેંક તેની હરાજી કરી શકે છે