પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. PNBએ 3 ફેબ્રુઆરી 2022થી પોતાના બચત ખાતા પર વ્યાજ દરને ઘટાડી દીધા છે. આ માહિતી બેંકની સત્તાવાર વેબસાઈટ પરથી મળી છે.
પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે અગત્યના સમાચાર
3 ફેબ્રુઆરી 2022થી બચત ખાતા પર વ્યાજ દરને ઘટાડી દીધા
બેંકે અત્યાર સુધી ત્રીજી વખત બચત ખાતા પર વ્યાજમાં ઘટાડો કર્યો
ચેક કરો વર્તમાન વ્યાજ દર
બેંકે સપ્ટેમ્બર 2021થી લઇને અત્યાર સુધી ત્રીજી વખત બચત ખાતા પર વ્યાજમાં ઘટાડો કર્યો છે. આની પહેલા PNB એ 1 ડિસેમ્બરે બચત ખાતા પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. પંજાબ નેશનલ બેંકમાં વર્તમાન અને નવા બધા બચત ખાતા માટે છે. પંજાબ નેશનલ બેંકે પોતાના બચત ખાતા પર 10 લાખ રૂપિયાથી ઓછા વ્યાજદરને ઘટાડીને 2.75 દર વર્ષે કરી દીધા છે. એટલેકે 3 ફેબ્રુઆરીથી PNB બચત ખાતામાં 10 લાખ રૂપિયાથી ઓછા સેવિંગ ફંડ એકાઉન્ટ બેલેન્સ માટે વ્યાજ દર વાર્ષિક 2.75 ટકા હશે. તો 10 લાખ રૂપિયા અને તેનાથી વધુ બેલેન્સ માટે વ્યાજ દર 2.80 ટકા વાર્ષિક હશે. ઉલ્લેખનીય છે કે, સુધારેલા વ્યાજ દરો ઘરેલુ અને એનઆરઆઈ બંને પ્રકારના બચત ખાતા માટે લાગુ થશે.
વધી શકે છે વ્યાજ દર
પીએનબીના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી એસએસ મલ્લિકાર્જુન રાવે કહ્યું પંજાબ નેશનલ બેન્ક આ વર્ષે ફેબ્રુઆરીમાં વ્યાજ દરોમાં 25 થી 30 આધાર પોઈન્ટનો વધારો કરી શકે છે. એક પત્રકાર પરિષદને સંબોધન કરી રાવે જણાવ્યું કે પીએનબીના વ્યાજ દરો સૌથી ઓછા છે. પીએનબીના હોમ લોનના વ્યાજ દરો 6.5 થી 7 ટકાની વચ્ચે છે.