પંજાબના સીએમ ભગવંત માન એક પછી એક મોટા નિર્ણયો લેતા જાય છે. સીએમ ભગવંત માને શુક્રવારે ધારાસભ્યોની પેન્શન ફોર્મુલામાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે.
પંજાબ સરકારનો મોટો નિર્ણય
પંજાબમાં હવેથી ધારાસભ્યોને એક જ પેન્શન મળશે
જે રૂપિયા બચશે, તે લોકો માટે વપરાશે
સત્તા સંભાળ્યા બાદ પંજાબના સીએમ ભગવંત માન એક પછી એક મોટા નિર્ણયો લેતા જાય છે. સીએમ ભગવંત માને શુક્રવારે ધારાસભ્યોની પેન્શન ફોર્મુલામાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. હવે ધારાસભ્યોને એક વાર જ પેન્શન મળશે. અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ જેટલી વાર ધારાસભ્ય બનતા હતાં, પેન્શનની રકમ જોડાતી જતી હતી.
પંજાબ સરકાર લઈ રહી છે મોટી એક્શન
ભગવંત માને કહ્યું કે, બેરોજગારી મોટો મુદ્દો છે. યુવાનો ડિગ્રીઓ લઈને ઘરે બેઠા છે. જેમણે નોકરીઓ માગી, તેમને તો ધોકા મળ્યા. તેમના પર પાણી ફેંકવામાં આવ્યા, તેમને નોકરી ન મળી. ત્યારે આવા સમયે આ સમસ્યાને ખતમ કરવા માટે અમે મોટી એક્શન લેવા જઈ રહ્યા છીએ.
Today, we have taken another big decision. The pension formula for Punjab's MLAs will be changed. MLAs will now be eligible for only one pension.
Thousands of crores of rupees which were being spent on MLA pensions will now be used to benefit the people of Punjab. pic.twitter.com/AdeAmAnR7E
તેમણે કહ્યું કે, ધારાસભ્યો હાથ જોડીને મત માગી રહ્યા છે, પણ ઘણાં બધા ધારાસભ્યો ત્રણ વાર જીત્યા, ચાર વાર જીત્યા અને 6 વાર પણ જીત્યા, પણ તે હારી ગયા. તેમને દર મહિને લાખો રૂપિયાનું પેન્શન મળે છે. કોઈને પાંચ લાખ, કોઈને 4 લાખ પેન્શન મળી રહ્યું છે, અમુક લોકો તો એવા પણ છે, જે પહેલા સાંસદ રહ્યા, બાદમાં ધારાસભ્ય, તે બંને બાજૂથી પેન્શન લઈ રહ્યા છે. ત્યારે આવા સમયે પંજાબ સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે.
જે રૂપિયા બચશે, તે લોકોની ભલાઈ માટે વાપરવામાં આવશે
તેમણે કહ્યું કે, ભલે કોઈ ગમે તેટલી વાર જીતે, પણ હવેથી ફક્ત એક જ પેન્શન મળશે, જેનાથી કરોડ રૂપિયા બચશે. તેને લોકોની ભલાઈ માટે વાપરવામાં આવશે. આવી જ રીતે ધારાસભ્યોના પરિવારને મળતા પેન્શનમાં પણ કાપ મુકવાનો નિર્ણય લીધો છે.