પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ છેલ્લા 20 દિવસથી બધા જ કામ છોડીને ચુપચાપ બેસી ગયા છે. તેમની સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન તેઓએ કોઈ કોંગ્રેસી નેતાનો પણ સંપર્ક નથી કર્યો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને હવે કોંગ્રેસથી નારાજ થવાનું વધુ એક કારણ મળી ગયું છે. અને તે એ છે કે, તેમની પત્ની નવજોત કૌરને તેમની પસંદગીની સીટ ચંદીગઢથી ટિકિટ આપવાની કોંગ્રેસે મનાઈ ફરમાવી દીધી છે. આ સીટ પરથી કોંગ્રેસના સીનિયર નેતા પવન બંસલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પહેલા ચર્ચા હતી કે નવજોત કૌરને અમૃતસર સીટની ટિકિટ આપવામાં આવી શકે છે, જ્યાં અમરિંદર સિંહે વર્ષ 2014ના લોકસભા ચૂંટણીમાં ભાજપના અરૂણ જેટલીને હરાવ્યા હતા. પરંતુ આ ચર્ચાઓ પર પણ પૂર્ણવિરામ કરવા માટે જ્યારે મંગવારે રાતે અમૃતસર લોકસભા સીટના ગુરજીત સિંહ ઓજલાને ટિકિટ આપવામાં આવી છે.
ગત કેટલાક મહિનામાં નવજોત સિંહ સિદ્ઘુ અને પજાંબના મુખ્યમંત્રી અમરિંદર સિંહના સંબંધોમાં ખટાશ આવી ગઇ છે. જેની પાછળનું કારણ નવજોત સિંહ સિદ્ઘુના પાકિસ્તાન અને ત્યાંના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર આપેલા નિવેદન છે. દેશની જગ્યાએ ઈમરાન ખાન સાથેની મિત્રતાને મહત્વ આપવાના કારણે પાર્ટીએ કથિત રીતે તેમના ઉપર અમુક પ્રતિબંધો લગાવ્યા છે.
13 લોકસભા સીટ ધરાવતી પજાંબમાં કોંગ્રેસની પાસે હજુ ચાર સીટ છે, જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને 4 સીટ મળી હતી. આ સિવાય તેમની સીટ અકાલી-ભાજપને ગઠબંધનને મળી હતી.
નોંધનીય છે કે, મંગળવારે મોડી રાતે કોંગ્રેસે તેમના 20 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. કોંગ્રેસે પૂર્વ રેલમંત્રી પવન કુમાર બસંલને ચંદીગઢ લોકસભા સીટ જ્યારે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહની પત્ની અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરણીત કૌરને પટિયાલા લોકસભાની ટિકિટ આપી છે. તે ઉપરાંત ગુરદાસપુરથી સાંસદ સુનીલ જાખડ, અમૃતસરથી ગુરજીત સિંહ ઓજલા, લુધિયાણાથી રવનીત સિંહ બિટ્ટૂ અને જલંધરથી સંતોષ સિંહ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. હોશિયારપુરથી પાર્ટીએ રાજકુમારના છબ્બેવાલને ટિકિટ આપી છે.