કૃષિ કાયદા વિરુદ્ધ આજે પંજાબમાં અકાલી દળ એક ખેડૂત માર્ચ યોજશે. આ માર્ચમાં 2 લાખ ખેડૂતો સામેલ થવાનું માનવામાં આવે છે. શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ અમૃતસરના ગુરુદ્વારામાં પહોંચ્યા અને અહીંથી માર્ચની શરૂઆત થઈ. તેઓએ કહ્યું કે અમે રાજ્યપાલને એક સૂચન કરીશું જેમાં કેન્દ્ર અને રાષ્ટ્રપતિને અનુરોધ હશે કે સંસદ સત્ર ફરી બોલાવવામાં આવે અને આ કાયદાને પરત લેવામાં આવે.
પંજાબમાં કૃષિ કાયદા વિરુદ્ધ દેખાવો
અકાલી દળ આજે 2 લાખ ખેડૂતો સાથે યોજશે માર્ચ
કાયદાને પરત લેવા કેન્દ્ર અને રાષ્ટ્રપતિને કરાશે અનુરોધ
Kisan March will go to Punjab Raj Bhawan. We'll give a memorandum to the Governor with a request to centre and President that sessions of both Houses be convened once again & the laws (Farm laws) be taken back. Farmers are protesting against those black laws: Sukhbir Singh Badal https://t.co/wdkJiNlMTKpic.twitter.com/mXkYkdqsnF
પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ તલવંડી સાબોમાં શ્રી દમદમા સાહિબથી રૈલીનું નેતૃત્વ કરશે અને આનંદપુરા સાહિબમાં શ્રી કેશગઢ સાહિબથી પ્રેમ સિંહ ચંદૂમાજરા પ્રદર્શનનું નેતૃત્વ કરશે. અમૃતસરથી શરૂ થઈને માહોલીમાં ખતમ થતા પહેલાં રૈલી જાલંધર, ફગવાડા, નવાંશહેર, રોપડ, કુરાલી અને મુલ્લાનપુરથી પસાર થશે. 8 વાગ્યાથી રેલીની શરૂઆત થઈ છે જ્યારે તલવંડી સાબોથી પણ 8 વાગે અને આનંદપુરા સાહિબથી 10 વાગે રેલી શરૂ થઈ છે.
રેલ રોકો આંદોલન કાયમ
ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ પંજાબમાં રેલ રોકો આંદોલન ચાલુ રાખ્યું છે. ખેડૂતોને આવનારા મહિનાથી આંદોલન વધારે ઉગ્ર કરવા અને રેલ રોકો આંદોલનને અનિશ્ચિત સમય સુધી ચલાવવાનો નિર્ણય કર્યો છે. ખેડૂત મજૂર સંધર્ષ કમિટીએ બેનર હેઠળ 24 સપ્ટેમ્બરથી રાજ્યમાં અલગ અલગ સ્થાનોએ રેલનો વિરોધ કર્યો છે. પ્રદર્શનકારીઓએ 3 કાયદાને પરત લેવાની માંગ કરી છે.