પંજાબના નવનિયુક્તી મુખ્યમંત્રી ચરણજીત ચન્ની આવતીકાલે સવારના 11 વાગ્યે શપથ લેશે. રાજ્યપાલને મળ્યા બાદ તેમના શપથનો સમય નક્કી કરાયો હતો.
આવતીકાલે સવારના 11 વાગ્યે સીએમ તરીકે શપથ લેશે ચન્ની
રાજ્યપાલ સાથે મળીને સમય નક્કી કરાયો
કોંગ્રેસે હિંદુ, દલિત અને શીખોને સાધવાનું કામ કર્યું
કોગ્રેસ હાઈકમાન્ડે શા માટે મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યાં
ચરણજીત ચન્ની દલિત સમૂદાયના દિગ્ગજ નેતા છે અને તે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના ખાસ છે. ચરણજીત ચન્નીને મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસે દલિત સમુદાયને એક મોટો મેસેજ આપ્યો છે. દલિત નેતાને સીએમ બનાવીને કોંગ્રેસ એક મોટી વસતીને સાધવાનું કામ કર્યું છે. તેમને કમાન સોંપીને કોંગ્રેસે હિંદુ, દલિત અને શીખોને સાધવાનું કામ કર્યું છે. રાજ્યમાં દલિતોની લગભગ 20 ટકા વસતી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસની આ વોટબેન્ક વિખેરાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં દલિતો વોટોને એકજૂટ કરવા માટેની આ સારી તક હતી.
1966 માં પંજાબની રચના બાદ પહેલા દલિત સીએમ
1966 માં પંજાબની રચના બાદ ચરણજીત ચન્ની પહેલા દલિત સીએમ છે.
દલિત શીખ સમુદાયમાંથી આવે છે ચન્ની
ચન્ની દલિત શીખ સમુદાયમાંથી આવે છે તેઓ અમરિન્દર સરકારમાં ટેકનોલોજી શિક્ષણ મંત્રી હતા. તેઓ પંજાબના મુખ્યમંત્રી બનનાર પહેલા દલિત સીએમ બન્યાં છે. પંજાબના દોઆબા ક્ષેત્રના કદ્દાવર કોંગ્રેસ નેતા છે.
ઘણા સમયથી કેપ્ટનની સામે બળવો કરી રહ્યાં હતા
ચરણજીત સિંહ ઘણા લાંબા સમયથી કેપ્ટન અમરિન્દરની સામે બળવો પોકારી રહ્યાં હતા. તેઓ 2015 થી 2016 સુધી પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.
લોકકલ્યાણના કામો કરતો રહીશ
મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા બાદ ચન્નીએ કહ્યું કે મારુ પહેલું કામ લોકો કલ્યાણકારી કામોને પુરા કરવાનું છે. હું બધા લોકોને સાથે રહીને ચાલીશ.