એક મહત્વનો ચુકાદો આપતા પંજાબ-હરિયાણા હાઈકોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, મહિલા દ્વારા પતિ તથા સાસરિયાવાળા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવી એ ક્રૂરતા છે અને તેનો આધાર બનાવીને છૂટાછેડા આપી શકાય છે.
હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
સાસરિયા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવી તે ક્રૂરતા
આ કામ કરવા વિરુદ્ધ આપી શકાય છૂટાછેડા
એક મહત્વનો ચુકાદો આપતા પંજાબ-હરિયાણા હાઈકોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, મહિલા દ્વારા પતિ તથા સાસરિયાવાળા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવી એ ક્રૂરતા છે અને તેનો આધાર બનાવીને છૂટાછેડા આપી શકાય છે. મોહાલી નિવાસી ગુરપ્રીત સિંહે મોહાલીની ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરતા છૂટાછેડાની માગ કરી હતી.
પતિ અને સાસરિયા વિરુદ્ધ કરી ખોટી ફરિયાદ
અરજીમાં ગુરપ્રીત સિંહે જણાવ્યું હતું કે, તેના લગ્ન 16 નવેમ્બર 2012ના રોજ થયા હતા. લગ્ન બાદ તુરંત તેની પત્ની અલગ ઘરમાં રહેવાનું દબાણ કરવા લાગી હતી. તેણે જ્યારે પત્નીને કહ્યું તેની માંને માં અથવા મમ્મી કહે તો તેવું કરવાની પણ ના પાડી દીધી. જ્યારે તેણે પત્નીની અલગ રહેવાની વાતને માની નહીં તો, તે 13 ડિસેમ્બર 2012ના રોજ ઘર છોડીને જતી રહી. ત્યાર બાદ પત્નીએ તેના પતિ અને તેના પરિવારના લોકો વિરુદ્ધ અપહરણ, છેતરપીંડી અને ષડયંત્રનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ કરી.
હાઈકોર્ટમાં પત્ની ખોટી સાબિત થઈ
જો કે ટ્રાયલ દરમિયાન તમામ સંબંધીઓને છોડી મુકવામાં આવ્યા. ગુરપ્રીતને ફક્ત બે ધારામાં સમન્સ આપવામાં આવ્યું. ટ્રાયલ કોર્ટે તેને પત્નીની ક્રૂરતા માનતા છૂટાછેડાના આદેશ આપ્યા હતા. જો કે, હવે પત્નીએ હાઈકોર્ટમાં અપીલ કરી છે અને ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો છે. અરજીમાં કહેવાયું છે કે, ગુરપ્રીત સિંહે અરજીકર્તાની પ્રોપર્ટીને છેતરપીંડીથી બેંકમાં ગિરવી રાખી છે. સાથે જ સાસુ પર આરોપ લગાવ્યો કે, એકદમ ખરાબ વ્યવહાર કરે છે. હાઈકોર્ટે પોતાની તપાસમાં જાણ્યું કે, અરજીકર્તા પત્નીએ ખુદ જાતે જઈને બેંકમાં પ્રોપર્ટી રાખી હતી અને પૈસા ઉઠાવી લાવી હતી. તેથી પતિ પર લગાવેલો આરોપ ખોટો સાબિત થયો. હાઈકોર્ટે કહ્યું કે, આ પ્રકારની ખોટી ફરિયાદો કરવી ડાયરેક્ટ પતિ અને સાસરિયાના લોકો વિરુદ્ધ ક્રૂરતા છે.