હાઈકોર્ટે આ મામલે મધ્યસ્થાની મદદથી દંપત્તીને ફરી એક કરવાની કોશિષ કરી પણ કોઈ લાભ થયો નહીં.
પંજાબ હરિયાણા હાઈકોર્ટ સંભળાવ્યો ચુકાદો
કોર્ટે છૂટાછેડાના આદેશને આપી દીધી મંજૂરી
હાઈકોર્ટે આ કેસમાં મધ્યસ્થી કરી પણ કોઈ ફાયદો નહીં
પંજાબ-હરિયાણા હાઈકોર્ટે બે દાયકાથી અલગ રહેવા છતાં પરસ્પર સંમતિથી છૂટાછેડા ન લેવાના પત્નીના નિર્ણયને પતિ પ્રત્યેની ક્રૂરતા ગણાવીને છૂટાછેડાના આદેશને મંજૂરી આપી દીધી છે. પતિએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતાં કહ્યું હતું કે તેના લગ્ન 1990માં નારનૌલમાં થયા હતા અને લગ્ન બાદથી અરજદાર સાથે પત્નીનું વર્તન યોગ્ય નથી.
હાઈકોર્ટે આ કેસમાં મધ્યસ્થી કરી પણ કોઈ ફાયદો નહીં
અરજદારની પત્ની માનસિક રીતે બીમાર હતી અને ઘણીવાર હિંસક બની જતી હતી. ઘણી વખત તેણે અરજદાર પર હુમલો પણ કર્યો હતો. તેની સારવાર માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કોઈ ફાયદો થયો નહીં. અરજીકર્તાએ જણાવ્યું કે તેની પત્નીએ તેના માટે ભોજન પણ બનાવ્યું ન હતું અને ઘણી વખત અરજદારને ખાલી પેટે સૂવું પડ્યું હતું. જે બાદ અચાનક તે ઘર છોડીને ચાલી ગઈ હતી.
અરજદારે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે કરી હતી અરજી
જ્યારે અરજદારે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી ત્યારે ત્યાં પત્નીએ આ તમામ આરોપોથી પીછેહઠ કરી હતી.એ હકીકતને નકારી કાઢી કે તે બીમાર હતી અને એ પણ કહ્યું કે ક્યારેય તેના પતિ અને બાળકો પર હુમલો કર્યો નથી. નારનૌલ કોર્ટે 2004માં છૂટાછેડા અંગેની અરજીકર્તાની અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ અરજદારે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
કોર્ટે છૂટાછેડાના આદેશને આપી દીધી મંજૂરી
હાઈકોર્ટે આ કેસમાં મધ્યસ્થી દ્વારા દંપતીને ફરીથી જોડવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં. આ મામલામાં ચુકાદો સંભળાવતા હાઈકોર્ટે કહ્યું હતું કે આ દંપતી બે દાયકાથી અલગ છે અને આવી સ્થિતિમાં આ લગ્ન ટકી રહેવાની શક્યતાઓ ખતમ થઈ ગઈ છે.આવી સ્થિતિમાં પણ પત્ની છૂટાછેડા લેવાનો ઇનકાર કરી રહી છે જે પતિ માટે ક્રૂરતા છે. છૂટાછેડા માટેની અરજીને મંજૂરી આપતાં હાઈકોર્ટે અરજદારને તેની પત્નીને એકસાથે 10 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો.