પંજાબની સરકાર દ્વારા કોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે તે સસ્તી દેશી દારૂની યોજના પર કામ કરી રહ્યા છે.
પંજાબ સરકાર દ્વારા કોર્ટમાં અપાઈ જાણકારી
સરકાર જ લાવશે સસ્તી દેશી દારૂ
લોકોને ઝેરી દારૂથી બચાવવા માટે નિર્ણય
અત્યારે એક તરફ બિહારમાં દારૂની પોટલીના કારણે મરેલા લોકોના ત્યાં માતમ છે, સરકાર સામે કાર્યવાહીને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યાં પંજાબની સરકાર કોર્ટમાં કહી રહી છે કે સરકાર પોતે સસ્તામાં દેશી દારૂ લાવી રહી છે જેથી ગેરકાયદેસર વેચાતી ખરાબ ગુણવત્તાની દારૂ બંધ થઈ જાય.
શું છે મામલો?
બિહારની સરકાર દ્વારા અજીબોગરીબ નિર્ણય પર વિચાર કરવામાં આવી રહ્યો છે, પંજાબની ભગવંત માન સરકારે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી છે કે લોકોને ઝેરી દારૂથી બચાવવા માટે સસ્તી દેશી દારૂની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. જે દારૂ પીતાં લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરશે નહીં. પંજાબ સરકારના એક્સાઈઝ ટેક્સેશન વિભાગ દ્વારા આ યોજનાને લઈને શપત્ર પત્ર દાખલ કરવામાં આવ્યો છે.
શું પગલાં લેવાયા?
અહેવાલ અનુસાર જસ્ટિસ સિટી રવિકુમારની પીઠને બતાવવામાં આવ્યું છે પોલીસ રાજ્યમાં ગેરકાયદેસર બુટલેગરોને પકડી રહી છે અને અડ્ડાઓ બંધ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર જાગરૂકતા અભિયાન પણ ચલાવી રહી છે. આ સિવાય આવી દારૂની ભઠ્ઠીઓની જાણકારી આપનાર વ્યક્તિને 50 હજાર રૂપિયાનું ઈનામ પણ આપવાનું એલાન કરવામાં આવ્યું છે.
સસ્તી દારૂ અને ગુણવત્તા સારી
આટલું જ નહીં સરકારે કહ્યું કે સમાજને ગેરકાયદેસર વેચાતી ઝેરી દારૂથી બચાવવા માટે એક્સાઈઝ પોલિસી દ્વારા દેશી દારૂને સસ્તા વેરિયન્ટમાં લાવવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. આ દારૂ સ્વાસ્થ્યમાં હાનિકારક પણ નહીં હોય અને ગેરકાયદેસર વેચાતી દારૂ કરતાં સારી ગુણવત્તાની હશે. એક્સાઈઝ વિભાગ દ્વારા આ યોજના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ કોર્ટે દારૂ માફિયાઓ સામે કાર્યવાહી ન થવા મામલે પંજાબની સરકારને ફટકાર લગાવી હતી અને 2020માં લઠ્ઠાકાંડમાં 120 લોકોના મોત માટે પણ સરકારને જ જવાબદાર ઠેરવી હતી.