પંજાબમાં સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માન એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે.જે અંતર્ગત આજે બીજો એક મોટો નિર્ણય લીધો છે.
પંજાબમાં આપની સરકાર આવી
ભગવંત માન બન્યા મુખ્યમંત્રી
એક પછી એક લઈ રહ્યા છે મોટા નિર્ણય
પંજાબમાં સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માન એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે મંગળવારે એલાન કર્યું છે કે, પંજાબમાં 35,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરી દેવામાં આવશે. પંજાબમાં આપને મળેલી પ્રચંડ જીત બાદ ભગવંત માને 16 માર્ચે સીએમ પદના શપથ લીધા હતા. ત્યાર બાદથી તાબડતોડ નિર્ણય કરવા લાગ્યા છે.
પંજાબમાં એક મહિનામાં થશે 25 હજાર ભરતી
ભગવંત માને પંજાબમાં મંત્રીમંડળ વિસ્તાર બાદ પ્રથમ બેઠકમાં સરકારી વિભાગમાં ખાલી પડેલી 25000 જગ્યાઓને ભરવાની જાહેરાત કરી છે. ભગવંત માનના જણાવ્યા અનુસાર આ ભરતીઓ પોલીસ વિભાગમાં 10 હજાર ભરતી, જ્યારે અલગ અલગ વિભાગમાં 15 હજાર ભરતી થવાની છે. એક મહિનાની અંદર ખાલી પદ પર ભરતી પ્રક્રિયાની શરૂઆત થશે.
23 માર્ચે જાહેર રજા
આ અગાઉ ભગવંત માને 23 માર્ચ એટલે શહીદ દિવસ પર જાહેર રજાનું એલાન કર્યું છે. 23 માર્ચે શહીદ ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. એટલુ જ નહીં પંજાબમાં વિધાનસભામાં શહીદ ભગત સિંહ અને બાબા સાહેબ આંબકરની પ્રતિમા લગાવાને લઈને પણ પ્રસ્તાવ પાસ કર્યો છે.