હરિયાણા સહિત અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂનું સંકટ જોતા પંજાબ સરકારે બીજા રાજ્યોથી આવનારા મીટ, મરઘા અને ઈંડા પર આવનારા 7 દિવસો માટે પ્રતિબંધ લગાવ્યો છે.
2 ડઝન ફાર્મોમાં મરઘાના રહસ્યમય રીતે મોત થયા
12 સ્થાનો પર એવિયન ઈન્ફ્લૂએન્ઝા અથવા બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા
નમૂનાને તપાસ માટે મોકલવા કહ્યુ છે
પંજાબ સરકારે આ નિર્ણય હરિયાણા તરફથી પોલ્ટ્રી પદાર્થો તથા ઈંડાને પંજાબમાં ડમ્પ કરવાની સૂચના હેઠળ કરવામાં આવ્યું છે. હરિયાણાના બરવાલા વિસ્તારમાં રહસ્યમય રીતે મરનારા મરઘાના કારણે વિસ્તારમાં એવિયન ફ્લૂનો ભય છે. અહીં લગભગ એક લાખ મરઘા અને મરઘાના બચ્ચાના મોત થઈ ચૂક્યા છે.
2 ડઝન ફાર્મોમાં મરઘાના રહસ્યમય રીતે મોત થયા
મરઘીઓના રહસ્યમય રીતે મરવાનો સિલસિલો 5 ડિસમ્બરથી શરુ થયો હતો. બરવાલા વિસ્તારમાં 110 મરઘા ફાર્મોમાં લગભગ 2 ડઝન ફાર્મોમાં મરઘાના રહસ્યમય રીતે મોત થયા છે. મરઘાના મોત બાદ હવે પંચકુલા જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું છે. રાજ્યોમાં પશુપાલન વિભાગે અસરગ્રસ્ત ફાર્મોમાં મળી આવેલી મૃત મરઘીઓના 80 સેમ્પલ ભેગા કરી તેની તપાસ જલંઘરની રિજનલ ડિજિજ ડાયગ્રોસ્ટિક લેબોરેટ્રીમાં મોકલી દેવાયા છે.
12 સ્થાનો પર એવિયન ઈન્ફ્લૂએન્ઝા અથવા બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા
દેશમાં ચાર રાજ્યો- કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં 12 સ્થાનો પર એવિયન ઈન્ફ્લૂએન્ઝા અથવા બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે. જ્યારે પંચકુલામાં મરઘી પાલન કેન્દ્રોમાં આ પક્ષીઓની અસ્વાભાવિક મોતના મામલાના કારણે હરિયાણાને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
પશુ પાલન તથા ડેરી મંત્રાલયના સચિલ અતુલ ચતુર્વેદીએ કહ્યું કે ડરવાની જરુર નથી અને સંક્રમણના પ્રસારને રોકવા માટે પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી પ્રવાસી પક્ષીઓ, કાગડા અને બતકમાં આ ઘાતક વાયરસ જોવા મળ્યો છે. જ્યારે મરઘી પાલન કેન્દ્ર હજું આનાથી અસરગ્રસ્ત નથી થયા.
નમૂનાને તપાસ માટે મોકલવા કહ્યુ છે.
તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 4 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કેરળમાં આ મામલા સામે આવ્યા છે. જ્યાં સુધી હરિયાણાનો સવાલ છે પંચકુલામાં મરઘા પાલન કેન્દ્રોમાં આ પક્ષીઓનુ અસ્વાભાવિક મોતના મામલો સામે આવ્યો છે. અમે રાજ્ય સરકારને સતર્ક રહેવા અને નમૂનાને તપાસ માટે મોકલવા કહ્યુ છે.
ભારતમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ 2006માં સામે આવ્યો હતો. મંત્રાલયનું કહેવું છે કે 4 રાજ્યોમાં 12 સ્થાનો પર એવિયન ઈન્ફ્લૂએન્ઝાના મામલા સામે આવ્યા છે.