બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / punjab government employees to be sent on compulsory leave after september 15

નિર્ણય / 15 સપ્ટેમ્બર સુધીમાં સરકારી કર્મચારીઓ વૅક્સિન નહીં લે તો કરાશે આ કાર્યવાહી, જુઓ ક્યાં અપાયો આદેશ

Kavan

Last Updated: 08:33 PM, 10 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વૅક્સિનેશનને લઈને પંજાબ સરકારે કડક વલણ અપનાવ્યું છે. મેડિકલ ઉપરાંત કોઈ અન્ય કારણથી કોરોનાનો પ્રથમ ડોઝ ન લેનારા સરકારીકર્મીઓને 15 સપ્ટેમ્બર બાદ અનિવાર્યરૂપથી રજા પર મોકલી દેવાનો આદેશ જાહેર કરી દેવાયો છે.

  • પંજાબ સરકારનો સરકારી કર્મીઓને આકરો આદેશ
  • 15 સપ્ટેમ્બર સુધી રસી લેવા આદેશ
  • રસી નહીં લો તો રજા પર ઉતારી દેશે

પંજાબ સરકારે રાજ્યના કર્મચારીઓને 15 સપ્ટેમ્બર સુધી વૅક્સિનનો ઓછામાં ઓછો પ્રથમ ડોઝ લેવા માટે જણાવી દીધું છે. જો કોઈ સરકારી કર્મચારી 15 સુધી વૅક્સિનનો પ્રથમ ડોઝ નહીં લે તો પછી તેને જબરદસ્તીથી રજા પર મોકલી દેવામાં આવશે. વૅક્સિનેશન વધાર માટે કૅપ્ટન સરકાર તરફથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કોરોના પ્રતિબંધોને વધારવાનો પણ આદેશ આપી દેવાયો છે. 

Big news about Punjab Congress, Sidhu's 'baji' in the war against CM Amarinder, the High Command made such a 'break'

15 સપ્ટેમ્બર સુધી વૅક્સિનનો એક ડોઝ લેવો પડશે

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે શુક્રવારે જાહેરાત કરી કે સ્વાસ્થ્યના કારણ સિવાય જો 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના સરકારીકર્મીઓએ કોરોના વૅક્સિનનો પ્રથમ ડોઝ પણ નહીં લીધો હોય તો આવા કર્મીઓને અનિવાર્યરૂપથી રજા પર મોકલી દેવાશે. 

સરકારે કેમ લીધો આવો કડક નિર્ણય?

સત્તાવાર નિવેદન મુજબ મુખ્યમંત્રીએ આ કડક નિર્ણય લીધો છે જેથી લોકોને મહામારીથી બચાવી શકાય. આ ઉપરાંત તે બાબતની ખાતરી કરવામાં આવે કે વૅક્સિન લઈ લીધેલા લોકો વૅક્સિન ન લીધેલા લોકોને કારણ સંક્રમિત ન થાય. 

હજુ પણ લોકો વૅક્સિન નથી લગાવી રહ્યા

વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા શુક્રવારે થયેલા હાઈલેવલ કોવિડ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યું કે આંકડાના વિશ્લેષણથી એ ખ્યાલ આવે છે કે વૅક્સિન મહામારી વિરુદ્ધ પ્રભાવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારી કર્મચારીઓને રસી લગાવવા માટે સતત પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે. એવા કર્મચારી જે હજુ પણ રસી લેવાથી બચી રહ્યાં છે તેમને ત્યાં સુધી રજા પર મોકલી દેવામાં આવશે જ્યાં સુધી તેઓ રસીનો પ્રથમ ડોઝ લઈ ન લે. 

પ્રતિદિન 50 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવે

મુખ્યમંત્રીએ સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ હેઠળ ટેસ્ટને વર્તમાન 45,000 પ્રતિ દિનથી વધારીને ઓછામાં ઓછા 50,000 પ્રતિ દિન કરવાનો આદેશ અપાયો છે. તપાસની સાથે સાથે આઉટરિચ શિબિર અને ટેસ્ટ કરવામાં આવે તેવું પણ જણાવાયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Vaccin punjab government કોરોના વૅક્સિનેશન પંજાબ સરકાર સરકારી કર્મી coronavirus vaccine
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ