કોરોના સંકટ ઘટ્યા બાદની પ્રથમ દિવાળી આંગણે આવીને ઉભી છે ત્યારે પંજાબની ચન્ની સરકારે ફટાકડા ફોડવાને લઈને મોટો નિર્ણય કર્યો છે.
પંજાબ સરકારનો મોટો નિર્ણય
માત્ર 2 કલાક જ ફટાકડા ફોડવાની અપાઈ છૂટ
ચંડીગઢ,દિલ્હી અને હરિયાણામાં પણ મુકાયો છે પ્રતિબંધ
પંજાબ સરકારે જાહેર કરેલ આદેશ પ્રમાણે, દિવાળી અને ગુરૂપર્વ નિમિત્તે માત્ર ગ્રીન ફટાકડા જ ફોડવાની છૂટછાટ આપવામાં આવી છે. ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
સરકાર દ્વારા ફટાકડાને લઈને ગાઈડલાઈનમાં નિર્દેશ કરવામાં આવ્યા છે કે, દિવાળી અને ગુરૂપર્વ પર રાતે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી છે. તો સૂબે કી મંડી ગોબિંદગઢ અને જાલંધરમાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી નથી. આ પહેલા ચંડીગઢ,દિલ્હી અને હરિયાણામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગૂ કરાયો છે.
ચંડીગઢમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે
ચંડીગઢમાં આ વખતે પણ લોકો દિવાળી પર ફટાકડા ફોડી શકશે નહીં. ચંડીગઢપ્રશાસને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ ચંડીગઢ ક્રેકર્સ ડીલર્સ એસોસિએશને ડીસી મનદીપ સિંહ બ્રારને ફટાકડાના વેચાણ અને ઉપયોગની મંજૂરી આપવા માટે પત્ર લખ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લી વખત દિવાળીના થોડા દિવસો પહેલા ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જો કે, છેલ્લી વખત મોહાલી અને પંચકુલામાં ફટાકડા વેચવામાં આવ્યા હતા.
ગત વર્ષે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે મોહાલી અને પંચકુલામાં ફટાકડા ફોડવામાં આવશે તો માત્ર ચંડીગઢમાં જ તેના પર પ્રતિબંધ મુકવાનો શું ફાયદો છે. જોકે, વહીવટીતંત્રે આ દલીલ સ્વીકારી ન હતી. જેના કારણે ફટાકડા વિક્રેતાઓને લાખોનું નુકસાન થયું હતું. ચંડીગઢ ક્રેકર્સ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ દવિન્દર ગુપ્તા અને જનરલ સેક્રેટરી ચિરાગ અગ્રવાલ, ડીસી દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે પણ પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ સરકારોએ ફટાકડાના વેચાણ અને સંચાલન પર પ્રતિબંધ મૂક્યો નથી. આવી સ્થિતિમાં આ વર્ષે પણ ચંદીગઢમાં ફટાકડાના વેચાણ અને સંચાલનને મંજૂરી આપવી જોઈએ.