પંજાબ સરકારની ખેડૂત દેવુ રાહત યોજના હેઠળ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે ખેડૂતોના દેવાના માફીની જાહેરાત કરી છે. ચાર જિલ્લામાં એક લાખ નવ હજાર 730 સીમાંત ખેડૂતોને વાણિજ્યિક બેંકોમાં રૂ. 1 હજાર 771 કરોડ રૂપિયાના દેવાથી રાહત આપી છે.
મુખ્યમંત્રીએ 2.5 થી 5 એકર જમીનવાળા ખેડૂતોની છૂટ યોજનામાં પણ વિસ્તાર કર્યો છે. અમરિંદર સિંહે કહ્યું કે આ રકમ સીધી ખેડૂતોના ખાતમાં જમા જશે. આજે એટલે કે શનિવાર સુધીમાં આ કાર્યવાહી પૂરી થઈ જશે.
દેવા માફીની આ યોજનાના પહેલા તબક્કામાં પટિયાલા લુધિયાણા સંગરૂર અને ફતેહગઢ સાહિબ જિલ્લાનો સમાવેશ છે. આગામી બીજા તબક્કામાં 2.5થી 5 એકર જમીનવાળા ખેડૂતોનો સમાવેશ કરવામાં આવશે. તો અમરિંદરસિંહે છૂટ યોજનામાં પણ વિસ્તાર કર્યો છે.
તમામ સીમાંત ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવાને માફ કરવાની છૂટ આપી છે. જેથી હવે સામુદાયિક બેંકોમાંથી લોન લેનારા 3.18 લાખ સીમાંત ખેડૂતોને કુલ રૂ. 1 હજાર 815 કરોડ રૂપિયાની રાહત મળશે.