એક જૂની કહેવત છે કે દરેક સફળ પુરુષ પાછળ એક મહિલાનો હાથ હોય છે. એટલે જ ખેડૂત પરિવારની મહિલાઓ સાબિત કરવા કમર કસી રહી છે, જે ખેતીની બચાવવા માટે દિવસ-રાત કરી મહેનત કરી રહી છે. તેઓ પોતાના બાળકોની પણ સંભાળ લઇ રહી છે અને ઘરનું કામ પણ કરી રહી છે.
આ સાથે ખેતરોમાં વાવણી પણ કરી રહી છે, ટ્રેકટર પણ ચલાવાનું હોય અથવા ખેતરમાં પાણીનું કામ, કોઇપણ કામમાં પીછેહઠ કરી રહી નથી. તેઓની એક જ ઇચ્છા છે કે તેમના ઘરેથી ગયેલા જેન્ટસ જે કેન્દ્ર સરકારે બનાવેલા કૃષિ કાયદાનો વિરોધ કરવા દિલ્હીમાં ધરણ કરી રહ્યાં છે તેઓ સફળ થઇ પરત ઘરે ફરે.
ખરેખર, કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરવા દિલ્હી પહોંચેલા ખેડૂતોને પોતાનું ઘર છોડે 18 દિવસથી વધારે થઇ ગયા છે. પોતાના ઘરથી દૂર દિલ્હી બોર્ડર પર ખુલ્લા આકાશની નીચે પ્રદર્શન કરી રહેલા ખેડૂત આટલા લાંબા સમય સુધી ધરણા કરવામાં એટલે સફળ થઇ રહ્યા છે કે તેમની ગેરહાજરીમાં તેમની મહિલાઓ ખેતરના કામની જવાબદારી સંભાળી રહી છે.
પોતાના પિતા-પતિ અથવા દિકરાના વિરોધ પ્રદર્શનમાં ગયા બાદ ખેતીનો પાક નિષ્ફળ ના જતો રહે તેને બચાવવાના પડકારોનો સામનો કરી રહી છે. મહિલાઓ ખેતરમાં વાવણી, ખેતરોમાં પાણીને લઇને ટ્રેકટર સુધી ચલાવી રહી છે. મહિલાઓ કોઇપણ કામને લઇને ક્ષોભ અનુભવી રહી નથી.
રામપુરમાં મહિલા ખેડૂત સિમરનજીત કૌરે સાથે વાતચીત કરી તો તેમણે કહ્યું કે ખેતીવાડીનું કામ કરવા મજબૂર છે, જેનું કારણ બધાને ખબર છે. અમારા ભાઇ-પતિ-પિતા બધા લોકો ત્યાં ધરણા પર બેઠા છે. સમિરનજીત કૌરે કહ્યું કે અમે ત્યાં સુધી કહ્યું હતું કે અમે પણ સાથે ધરણા કરવા આવીએ છીએષ પરંતુ તો અહીં ખેતી કોણ સંભાળે? જેથી અમે અમારા જેન્ટસને કહ્યું કે તમે જઇ જીત મેળવીને આવજો, અમે અહીં બધુ કામ સંભાળી લઇશું. અમે ઘર-પરિવાર પણ સંભાળીશુ અને ખેતીવાડી પણ સંભાળીશું.
ત્યારે વૃદ્ધ મહિલા ખેડૂત સુખવિંદર કૌરે કહ્યું કે સરદાર બધા ગયા છે, અમે ખેતીવાડી સંભાળી રહ્યાં છે. અમે ઘણા પરેશાન છીએ. જ્યારે ખેતરમાં પાક થાય છે તો કોઇ ભાવ નથી મળતો, પાકનો ભાવ પણ મળતો નથી અને લોહી-પરસેવો અમારો એક થઇ જાય છે. હવે તેમાં કોઇ ફાયદો નહીં. સરકાર જે કાયદો લાવી છે, તે અમારા હિતમાં નથી.
મહિલા ખેડૂત પ્રીતિંદર કૌરે કહ્યું કે અમારા પિતા-ભાઇ બધા દિલ્હી ગયા છે, એટલા માટે અમારે ખેતી કરવી પડે છે. મોદી જી એ જે કાયદો બનાવ્યો છે તે ગેરકાનૂની છે, અમે તે કાયદાને માનતા નથી. અમે અમારા ઘરવાળાને કહી દીધું છે કે જીત વગર પાછા આવતા નહીં.