ખેડૂત દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર માનહાનીનો કેસ કરવામાં આવ્યો છે અને આ અંગે નોટીસ મોકલવામાં આવી છે ત્યારે જાણો કે એવું તે શું બોલ્યા નીતિન પટેલ કે નોટીસ આવી...
DyCM નીતિન પટેલ સામે માનહાનિનો દાવો
આંદોલનકારી ખેડૂતોએ નીતિન પટેલ સામે કર્યો દાવો
જલંધરના રમણીકસિંઘ રંધાવાએ મોકલી નોટિસ
ખેડૂતો મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. આંદોલનકારી ખેડૂતોએ નીતિન પટેલ સામે દાવો કર્યો છે. જલંધરના રમણીકસિંહ રંધાવાએ નોટિસ મોકલી છે. તમને જણાવી દઈએ કે નીતિન પટેલે એન્ટિ નેશનલ તત્વો ફંડીંગ કરતા હોવાનું અને ખેડૂત આંદોલન પાછળ હાથ હોવાનું નિવેદન કર્યું હતું.
સાચા ખેડૂતોની ટુકડે-ટુકડે ગેંગ નથીઃ નીતિન પટેલ
DyCMએ કહ્યું હતું કે, આ એજ સામ્યવાદીઓ છે જે ભારતના વિરોધી છે. આ લોકો હાલ ખેડૂતો ભેગા ભળી ગયા છે. ભારતના સામ્યવાદીઓએ ચીન-ભારત વચ્ચે યુદ્ધ વખતે ચીનને ટેકો જાહેર કર્યો હતો. ખાલીસ્તાનવાદીઓ જે પંજાબને ભારતને જુદી કરીને પાકિસ્તાન પાસે જવા માંગે છે. જેમ કાશ્મીરીઓ છે, તેમ સામ્યવાદીઓને ભારત સાથે નથી રહેવું, સાચા ખેડૂતોને ટુકડે ટુકડે ગેંગ નથી કહેતા પણ જેએનયુમાં પાકિસ્તાન જીંદાબાદ અને રાષ્ટ્રધ્વજને સળગાવ્યો હતો. થોડા ખેડૂતો આંદોલન કરે છે તેમાં દેશ વિરોધીઓ, ચીન તરફીઓ, સામ્યવાદીઓ, ખાલીસ્તાનીઓ, પાકીસ્તાનીઓ આ બધા જોડાઈ ગયા છે.