ખેડૂતોએ ફરી એક વાર સરકાર વિરુદ્ધ પોતાના વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. મંગળવારે 23 ખેડૂત સંગઠનોએ ચંડીગઢમાંથી માર્ચ કરી રહ્યા છે.
ફરી એક વાર પંજાબથી ખેડૂત આંદોલન શરૂ થયું
સરકાર વિરુદ્ધ ખેડૂતોએ મોર્ચો ખોલ્યો
આ મુદ્દાને લઈને કરી રહ્યા છે વિરોધ
ખેડૂતોએ ફરી એક વાર સરકાર વિરુદ્ધ પોતાના વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. મંગળવારે 23 ખેડૂત સંગઠનોએ ચંડીગઢમાંથી માર્ચ કરી રહ્યા છે. આ તમામની વચ્ચે ચંડીગઢ-મોહાલી બોર્ડર પર ખેડૂતોએ બેરિકેડીંગ તોડવાની કોશિશ કરી છે. ત્યાર બાદ પોલીસે અને ખેડૂતો વચ્ચે અથડામણ થયું હતું. ખેડૂત સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે, રાજ્ય સરકારે તેમની સાથે છળકપટ કર્યું છે.
સંયુક્ત કિસાન મોર્ચના બેનર હેઠળ ખેડૂત સંગઠનોએ આ વખતે પંજાબ સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. ખેડૂતોનું કહેવુ છે કે, તેમણે ઘઉં પર 500 રૂપિયાની બોનસની માગ કરી હતી. તેના પર મુખ્યમંત્રી ભગવંત માન રાજી હતા. પણ હજૂ સુધી સરકાર તરફથી કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી.
#WATCH | Mohali, Punjab | Farmers under the aegis of various farmer unions march towards Chandigarh to protest against the state govt to fulfill their various demands pic.twitter.com/modOZVLGs0
ખેડૂતોનું કહેવુ છે કે, અમારા તરફથી બાસમતી અને મગની એમએસપીનું નોટિફિકેશન જાહેર કરવાની માગ કરી રહ્યા છીએ. સાથે જ વિજળીના પ્રીપેડ મીટરને ન લગાવાની માગ પણ કરી રહ્યા છીએ. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જ્યાં સુધી તેમની માગ સ્વિકારવામાં નહીં આવે, તેઓ ચંડીગઢ તરફ આગળ વધતા રહેશે. સાથે જ દિલ્હીની માફક મોર્ચો ખોલીશું.
Mohali | Punjab Police stop farmers from moving towards Chandigarh as the latter are marching towards the state's capital to protest against the state govt over various issues pic.twitter.com/7wjefplv2u
રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો મંગળવારે દિલ્હી આંદોલનની માફક ચંડીગઢ તરફ આગળ વધી રહ્યા છે. મોહાલી પોલીસે તેમને સરહદ પર રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ આ દરમિયાન ખેડૂતોએ પોલીસના બેરિકેડિંગ તોડી દીધા હતા અને ત્યાર બાદ ખેડૂતો અને પોલીસની વચ્ચે અથડામણ થઈ હતી.