કોરોના વાયરસના કારણે દેશમાં દિવસેને દિવસે કેસ વધતાં જઈ રહ્યા છે. વિવિધ રાજ્ય સરકારો દ્વારા કેન્દ્ર સકરારને લોકડાઉન વધારવા માટે અપીલ કરવામાં આવી હતી ત્યારે ઓરિસ્સા બાદ હવે પંજાબમાં પણ કર્ફ્યું લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પંજાબમાં પહેલી મે સુધી લોકડાઉન
ઓરિસ્સા અને પંજાબે લંબાવ્યુ લોકડાઉન
આવતીકાલે પીએમ મોદી બધા મુખ્યમંત્રી સાથે કરશે ચર્ચા
પંજાબ સરકાર દ્વારા રાજયમાં પહેલી મે સુધી કર્ફ્યું લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પંજાબમાં કોરોનાના કુલ 116 કેસ સામે આયા છે. તથા રાજયમાં કોરોના વાયરસના કારણે 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 4 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. જેને લઇને રાજ્ય સરકારો લોકડાઉન ખોલવાથી ખચકાઈ રહી છે. કોરોના વાયરસને રોકવા માટે લોકડાઉનને સૌથી મોટો હથિયાર માનીને ઓરિસ્સા અને હવે પંજાબે પણ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.
લોકડાઉન લંબાવનાર પંજાબ દેશનું બીજું રાજ્ય બની ગયું છે. આ પહેલા ઓરિસ્સાએ રાજ્યમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો હતો સાથે જ અપીલ પણ કરી હતી કે રાજ્યમાં કેન્દ્ર સરકાર ત્યાં સુધી ટ્રેન અને હવાઈ સેવા શરુ ન કરે
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી એપ્રિલના રોજ વિવિધ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવાના છે. આ ચર્ચામાં અન્ય રાજ્યનાં સીએમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે લોકડાઉન લંબાવવાની માંગણી કરી શકે છે