પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન આજે ખતમ થયું છે. જે બાદ એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે. પંજાબની વાત કરીએ તો, અહીં કોંગ્રેસના સૂપડાં સાફ થવાનું અનુમાન એક્ઝિટ પોલમાં જણાવી રહ્યા છે.
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ખતમ
એક્ઝિટ પોલના આંકડા આવવા લાગ્યા
પંજાબમાં કોંગ્રેસના સૂપડા સાફ થવાના અણસાર
પંજાબમાં વિધાનસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલના પરિણામો સામે આવી રહ્યા છે . પંજાબમાં આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે. એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમત મળવાનો દાવો છે. કેજરીવાલની પાર્ટી દિલ્હી બાદ પંજાબમાં પણ સરકાર બનાવી શકે છે. એક્ઝિટ પોલના આંકડા અનુસાર આપ પાર્ટીને 56-61 સીટો મળવાનું અનુમાન છે. જ્યારે અકાલી દળને 22-26 સીટો મળી શકે છે. જ્યારે ભાજપ ગઠબંધનને ફક્ત 1-6 સીટો મળે તેવી શક્યતા છે. તો વળી અન્યના ખાતામાં 0-3 સીટો જઈ શકે છે. વળી કુલ વોટ શેરની વાત કરીએ તો, આપને 41.2 ટકા, કોંગ્રેસને 23.2 ટકા, અકાલી દળને 22.5 ટકા, ભાજપ ગઠબંધનને 7.2 ટકા, જ્યારે અન્યને 5.9 ટકા વોટ મળી શકે છે.
પંજાબમાં દલિતોએ કોને વોટ આપ્યા
આપ- 22.9 ટકા
કોંગ્રેસ 46.9 ટકા
અકાલી દળ- 20.8 ટકા
ભાજપ ગઠબંધન- 5.7 ટકા
અન્ય- 3.6 ટકા
સિખ સમુદાયે કોને વોટ આપ્યા
આપ- 45.2 ટકા
કોંગ્રેસ- 22.0
અકાલી દળ- 25.4 ટકા
ભાજપ ગઠબંધન- 2.5 ટકા
અન્ય- 4.8 ટકા
મુસ્લિમોએ કોને વોટ આપ્યા
આપ- 41.0 ટકા
કોંગ્રેસ- 37.48 ટકા
અકાલી દળ- 14.94 ટકા
ભાજપ ગઠબંધન- 1.11 ટકા
અન્ય- 5.45 ટકા
2017માં કોંગ્રેસ બની હતી સૌથી મોટી પાર્ટી
કોંગ્રેસ પાર્ટીએ 77 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. 2017માં શિરોમણી અકાલી દળ અને ભાજપે મળીને ચૂંટણી લડી હતી. પણ શિઅદ અને ભાજપને ફક્ત 18 સીટો જ હાથમાં આવી હતી. જેમાં શિઅદના ખાતામાં 15 સીટ અને ભાજપના ખાતામાં ફક્ત 3 સીટો આવી હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 117માંથી 20 સીટો પર જીત મળી હતી. આ ઉપરાંત લોક ઈંસાફ પાર્ટી 2 સીટો જીતવામાં સફળ રહી હતી.