પંજાબ ચૂંટણી પંચે અકાલી દળની ફરિયાદ પર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મોહાલીમાં FIR નોંધવાના આદેશ આપી દીધા છે. શિરોમણી અકાલી દળ તરફથી કેજરીવાલ વિરુદ્ધ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘની ફરિયાદ નોંધવામાં આવી છે.
પંજાબમાં ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ સક્રિય
કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો આદેશ
જનતાને ગુમરાહ કરતા હોવાનો લાગ્યો આક્ષેપ
પંજાબ ચૂંટણી પંચે અકાલી દળની ફરિયાદ પર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મોહાલીમાં FIR નોંધવાના આદેશ આપી દીધા છે. શિરોમણી અકાલી દળ તરફથી કેજરીવાલ વિરુદ્ધ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘની ફરિયાદ નોંધવામાં આવી છે. અકાલી દળ તરફથી કહેવામાં આવ્યું હતું કે, કેજરીવાલ અન્ય પાર્ટીઓ વિરુદ્ધ ખોટા આરોપ લગાવી રહ્યા છે. કહેવાયું હતું કે, આમ આદમી પાર્ટીના સંયોજક તરફથી પાયાવિહોણા આરોપ લગાવામાં આવી રહ્યા છે.
કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ
અકાલી દળ તરફથી કહેવાયુ છે કે, આજે આમ આદમી પાર્ટી તરફથી એક વીડિયો જાહેર કરવામા આવ્યો છે, જેમાં અન્ય રાજકીય પાર્ટીઓ વિરુદ્ધ સંદેશ આપવામાં આવ્યો હતો. તેનાથી પંજાબની જનતા ગુમરાહ થઈ રહી છે. અકાલી દળે કહ્યું કે, આપ પાર્ટી તરફથી કરવામા આવેલું આ કામ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.
કુમાર વિશ્વાસના દાવા પર રાજકારણ ગરમાયું
આ અગાઉ કુમાર વિશ્વાસે કેજરીવાલ વિરુદ્ધ એક દાવા બાદ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ના પ્રધાનમંત્રી મોદીથી કુમાર વિશ્વાસના દાવાની તપાસ કરવાની માગ કરી હતી. સીએમ ચન્નીએ ટ્વિટ કર્યું હતું કે, પંજાબના સીએમ તરીકે હું પીએમ મોદીને અનુરોધ કરવા માગુ છું કે, હાલમાં જ કુમાર વિશ્વાસે જે કહ્યું છે, તે મામલાની સ્વતંત્ર તપાસ કરાવામાં આવે. સાથે જ કહ્યું છે કે, રાજનીતિ એક બાજૂ અને પંજાબના લોકોએ અલગાવવાદ સામે લડવા માટે ભારે કિંમત ચુકવી છે. પીએમે દરેક પંજાબીની ચિંતા દૂર કરવાની જરૂર છે.
કેજરીવાલ પર લગાવ્યા હતા ગંભીર આક્ષેપ
આપને જણાવી દઈએ કે, કુમાર વિશ્વાસનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ કહી રહ્યા હતા કે, અરવિંદ કેજરીવાલનું સપનુ પંજાબની સત્તા મેળવવાનું છે, સાથે જ કહ્યું કે, કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે મને કહ્યું કે, મારે પંજાબનો મુખ્યમંત્રી બનવું છે અથવા તો સ્વતંત્ર દેશના પ્રધાનમંત્રી.