પંજાબમાં ચૂંટણી પરિણામોમાં શરૂઆતી વલણમાં AAP અને કોંગ્રેસ આગળ છે, આપને સૌથી વધારે બેઠકો મળતી દેખાઈ રહી છે. CM ચન્ની બંને બેઠકો પર આગળ ચાલી રહ્યા છે
પંજાબ વિધાનસભાની ચૂંટણી 2022માં 117 સીટ માટે જંગ ખેલાયો છે. પંજાબની મતગણતરીમાં શરુઆતના રુઝાનમાં આપની બહુમતી સ્પષ્ટ જોવા મળી રહી છે. સવારે 10.30 કલાક સુધીના પરિણામો પર નજર કરીએ તો આપ 88 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 12 સીટ પર આગળ ચાલી રહી છે. બીજેપી ગઢબંધનની 5 સીટ તો અકાળી દળ ગઢબંધન 11 સીટ પર આગળ અને 1 બેઠક અન્યને ફાળે ગઇ છે. મહત્વનું છે કે 20 ફેબ્રુઆરીએ 117 સીટ માટે મતદાન કરવામાં આવ્યું હતુ. પંજાબમાં 2.14 કરોડ મતદારો છે અને કુલ 1304 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયુ હતું. અત્યાર સુધી પંજાબમાં કોંગ્રેસનું શાસન હતુ ત્યારે હવે પહેલીવાર આપ પાર્ટીની બહુમતી જોવા મળી છે. ત્યારે નિષ્ણાંતોના મતે AAPને બહુમતી મળવાના મુખ્ય કારણો વિશે વાત કરીએ.
પંજાબમાં AAPની જીતના કારણો
કારણ-1
પંજાબમાં પહેલીવાર AAPએ મુખ્યમંત્રી પદના દાવેદાર જાહેર કર્યા. આપ તરફથી ભગવંત માનને સીએમ પદના દાવેદાર જાહેર કરવામાં આવ્યા છે.
કારણ-2
AAP તરફથી CM પદના દાવેદાર ભગવંત માન પંજાબમાં લોકપ્રિય વ્યક્તિત્વ ધરાવે છે. ભગવંત માન 2014થી લોકસભાના સભ્ય બન્યા હતા. તેઓ મે,2014માં પંજાબના સંગુરૂર મત વિસ્તારના સાંસદ બન્યા. તેઓ એક પ્રસિદ્ધ કોમેડિયન છે તેમજ રાજનેતા તરીકેની ઉત્કૃષ્ઠ કામગીરીથી લોકોમાં પ્રિય છે.
કારણ-3
દિલ્લી મોડેલની વાત પંજાબના મતદારોને રાસ આવી.
કારણ-4
પંજાબમાં નવો ટેક્સ લાગૂ ન કરવાનો તથા હાલના ટેક્સ ન વધારવાનો વાયદો કર્યો હતો તે જનતાને અનુકૂળ આવ્યો.
કારણ-5
પંજાબમાં શિક્ષણની સ્થિતિ સુધારવા માટે વાયદો કર્યો હતો. તેમજ શાળા-કોલેજોમાં સારામાં સારી સુવિધા પુરી પાડવાનો વાયદો કર્યો હતો જેને પંજાબની જનતાએ સ્વીકાર્યો. આ ઉપરાંત વીજ વાયરો અંડરગ્રાઉન્ડ કરવાનો વાયદો કર્યો હતો.
કારણ-6
18 વર્ષથી વધુ વયની મહિલાઓને પ્રતિમહિના 1 હજાર રૂપિયા આપવાનો વાયદો કર્યો.દરેક મહિલાને પ્રતિ મહિના એક હજાર રુપિયા આપવાનો વાયદો કર્યો હતો. જે માટે પાર્ટીએ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરુ કરી હતી. જેથી મહિલાઓને વિશ્વાસ અપાવ્યો કે દર મહિને તેઓના ખાતામાં પૈસા જમા થશે.
કારણ-7
દિલ્હીની જેમ પંજાબમાં પણ કામગીરીને લઇને અરવિંદ કેજરીવાલે પુરતુ ધ્યાન આપ્યું. અરવિંદ કેજરીવાલ પંજાબ ખૂબ સક્રિય રહ્યા.દરેક ગામમાં મોહલ્લા ક્લિનિક હશે. 16000 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવશે. સરકારી હોસ્પિટલોનું સમારકામ કરવામાં આવશે. નવી હોસ્પિટલો મોટા પાયે ખોલવામાં આવશે અને માર્ગ અકસ્માતના કિસ્સામાં સરકાર દ્વારા સંપૂર્ણ સારવાર મળશે. આ વચન પણ AAPની તરફેણમાં ગયું.
કારણ-8
2017ની ચૂંટણી સમયથી બુથ સ્તરે મજબૂતી થવા લાગી હતી
કારણ-9
300 યુનિટ મફત વીજળીનો વાયદો કર્યો હતો. આ સાથે જ ચંડીગઢને ફરીથી સાફ બનાવવા અને 20 હજાર લિટર મફત પાણીનો વાયદો કર્યો હતો.
કારણ-10
આ ઉપરાંત પંજાબમાં અરવિંદ કેજરીવાલે લોકોને વાયદો કર્યો હતો કે તમામ દવાઓ અને મેડિકલ ટેસ્ટ સહિત સારવાર મફતમાં આપવામાં આવશે. દરેક વ્યક્તિને હેલ્થ કાર્ડ આપવાનો વાયદો કર્યો હતો.
મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે જશ્નનો માહોલ
પંજાબ વિધાનસભામાં મતગણતરી ચાલી રહી છે જેમાં શરૂઆતની મતગણતરીમાં AAP આગળ ચાલી રહ્યું છે. પંજાબના પરિણામોથી AAP માં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી રહે છે ત્યારે મુખ્યમંત્રીનો ચહેરો ગણાતા ભગવંત માનના ઘરે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. સંગરુરમાં ભગવંત માનના ઘરે ઉજવણી શરૂ થઇ ગઇ છે.
ભવિષ્યમાં અરવિંદ કેજરીવાલ ભાજપના મુખ્ય ચેલેન્જર હશેઃ રાઘવ ચઢ્ઢા
આપના યુવા નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, પહેલા દિવસથી કહેતા હતા કે AAP સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. દાયકાઓ સુધી પંજાબ પર શાસન કરનારા લોકોનું સિંહાસન હલી રહ્યું છે. ભવિષ્યમાં અરવિંદ કેજરીવાલ બીજેપીના મુખ્ય ચેલેન્જર હશે, AAP કોંગ્રેસનું સ્થાન લેશે
પંજાબના પરિણામો પણ સકારાત્મક હશેઃ AAP નેતા ગોપાલ રાય
હાલના વલણોમાં પંજાબમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી જોવા મળી રહી છે. ત્યારે દિલ્હીના મંત્રી અને AAP નેતા ગોપાલ રાયે કહ્યું કે, અમે પંજાબમાં સકારાત્મક વલણો જોઈ શકીએ છીએ અને અમને આશા છે કે પરિણામો પણ સકારાત્મક હશે. પરિવર્તન માટે મતદાન કરવા બદલ હું પંજાબના લોકોનો આભાર માનું છું. AAPએ પંજાબમાં 88 વિધાનસભા મતવિસ્તારોમાં પ્રારંભિક લીડ સાથે બહુમતીનો આંકડો પાર કર્યો છે.
મુખ્યમંત્રી ચન્ની, સિદ્ધુ અને અમરિંદર પોતાની બેઠક પર પાછળ, વલણોમાં આપને બહુમતી
હાલ પંજાબ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે હાલ વલણોમાં ભાજપ અને અકાળી દળ બન્ને પાછળ છે. તો આમ આદમી પાર્ટી ભારે લીડથી આગળ જોવા મળી રહી છે. પરંતુ મુખ્યમંત્રી ચન્ની, અમૃતસર ઈસ્ટ બેઠક પર સિદ્ધુ, મજીઠિયા અને પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર પાછળ જોવા મળી રહ્યાં છે.