દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પંજાબમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે લોકોને સંક્રમણથી બચાવવા પંજાબ સરકારે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે અને નિયમોના ભંગ બદલ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. તેમ છતાં લોકો બેદરકારી દાખવી રહ્યાં છે. પંજાબમાં 67 દિવસમાં 15 કરોડથી વધારેનો દંડ વસૂલવામાં આવ્યો છે.
પંજાબના લોકોએ માસ્ક ન પહેરવા બદલ ભર્યો કરોડોનો દંડ
પંજાબમાં 67 દિવસમાં લોકો ભરી ચૂક્યા છે 15 કરોડનો દંડ
પંજાબ સરકાર દ્વારા રાજ્યમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ વચ્ચે 17 મેના માસ્ક પહેરવું ફરજિયાત કર્યું હતું. માસ્ક ન પહેરવા પર સરકારે 200 રૂપિયાના દંડનું એલાન કર્યું હતુ. તેના 11 દિવસ બાદ 29 મેના સરકારે દંડની રકમ વધારી 500 રૂપિયા કરી દીધી હતી. આ વ્યવસ્થા બાદ પણ સાડા 11 હજાર લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 269 લોકોના મોત થયા છે.
કોરોના મહામારીને લઇને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે કોરોના મહામારી વિશ્લેષણ કમિટી સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન DGP દિનકર ગુપ્તાએ જણાવ્યું કે પ્રદેશમાં માસ્ક ન પહેરવા પર દરરોજ 5 હજાર લોકોને મેમો આપવામાં આવી રહ્યો છે. શરૂઆતના 11 દિવસોમાં પંજાબ પોલીસે 200 રૂપિયાના પ્રતિ કેસના હિસાબે 1 કરોડ 10 લાખ રૂપિયાની મેમાની રકમ વસૂલી હતી.
એ બાદ 29 મેથી અત્યાર સુધીના 56 દિવસોમાં 14 કરોડની મેમાની રકમ વસૂલી ચૂક્યા છે. જાલંધર જિલ્લામાં લોકો કોરોનાથી બચવા માસ્ક નથી પહેરતા પરંતુ કરોડો રૂપિયાનો દંડ ભરી દીધો છે. જાલંધર જિલ્લામાં 21,594 લોકોને મેમો આપ્યો છે. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર શહેરમાં 42 લોકો હોમ ક્વોરન્ટાઇન તોડી ચૂક્યા છે. તેમની પાસેથી 75 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે.
જ્યારે 405 લોકોને સાર્વજનિક જગ્યાઓ પર થુંકતા પકડીને 92 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે. એટલું જ નહીં સામાજિક અંતરનું પાલન ન કરવા પર 193 લોકો પાસેથી પોલીસે 3.90 લાખનો દંડ વસૂલ્યો છે. 23 માર્ચથી અત્યાર સુધીમાં કર્ફ્યૂના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં અત્યાર સુધીમાં 2192 ગાડીઓ જપ્ત કરી ચૂક્યા છે.