દેશમાં કોરોના વાયરસની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે અને ગુજરાત સરકારે રાજ્યના 4 મહાનગરોમાં કોરોના સંક્રમણ વધતા રાત્રિ કર્ફ્યુ લાદ્યો છે ત્યારે હવે પંજાબ સરકારે પણ બુધવારથી રાજ્યમાં કેટલાક પ્રતિબંધોને લઇને જાહેરાત કરી હતી.
દેશમાં કોરોનાને લઇને સ્થિતિ બની ગંભીર
ગુજરાત બાદ પંજાબ સરકારે રાજ્યમાં લાદ્યો રાત્રિ કર્ફ્યુ
માસ્ક ન પહેરનારને થશે 1000 રૂપિયા દંડ
તમામ શહેરો અને નગરોમાં ફરીથી નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઉપરાંત, 1 ડિસેમ્બરથી માસ્ક ન પહેરવા અથવા સામાજિક અંતરને અનુસરવા બદલ દંડ બમણી કરવામાં આવશે.
500ને બદલે 1000 રૂપિયાનો દંડ
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં તમામ હોટલ, રેસ્ટોરન્ટ્સ અને મેરેજ પેલેસ રાત્રે 9.30 વાગ્યાથી બંધ રહેશે. નાઇટ કર્ફ્યુ સવારે 10 થી સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. પંજાબ સરકારના પ્રવક્તાએ કહ્યું કે કોરોના પ્રોટોકોલનું પાલન ન કરનારને હવે 500 રૂપિયાને બદલે 1000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. 15 ડિસેમ્બરે નાઇટ કર્ફ્યુની સમીક્ષા કરવામાં આવશે.
સરકારે આપ્યા આદેશ
પંજાબમાં દિલ્હીના દર્દીઓનો પ્રવાહ જોતા રાજ્યની ખાનગી હોસ્પિટલમાં બેડની સ્થિતિની સમીક્ષા અને અનુકુલન કરવા માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ વિની મહાજનને સંબંધિત વિભાગો સાથએ કામ કરવા માટે જણાવ્યું છે જેથી કોરોના માટે વધુ સ્થાનિક હોસ્પિટલની મદદ લઇ શકાય.
સતત દેખરેખને લઇને અપાયા આદેશ
ઓક્સિજન અને આઈસીયુ બેડની ઉપલબ્ધતાને વધુ મજબૂત બનાવવા માટે, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે L-II અને L-III ને મજબૂત બનાવવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, જે જિલ્લાઓમાં L-III સુવિધાઓ ઉપલબ્ધ નથી તે સ્થળોએ સતત દેખરેખ રાખવા આદેશ આપવામાં આવ્યો હતો.
407 તબીબી અધિકારીઓની કરાશે ભરતી
મુખ્યમંત્રીએ આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગને નિષ્ણાંતો, સુપર-નિષ્ણાતો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફની કટોકટી નિમણૂકો કરવા પણ નિર્દેશ આપ્યો છે. 249 નિષ્ણાંત ડોકટરો અને 407 તબીબી અધિકારીઓની ભરતી કરવામાં આવશે. વિભાગોને એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ભવિષ્યમાં જરૂર પડે તો ચોથી અને પાંચમા વર્ષના MBBSવિદ્યાર્થીઓની મદદ પણ લેવી જોઈએ.