કોંગ્રેસની અનુશાસન સમિતિએ પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પરનીત કૌરને પાર્ટીથી કાઢી નાખ્યાં છે. તેમના પર BJPની મદદ કર્યાનો આરોપ હતો.
કોંગ્રેસે સાંસદ પરનીત કૌરને કરી પાર્ટી બહાર
BJPની મદદ કર્યાનો હતો આરોપ
પૂર્વ CM કેપ્ટન અમરિંદરસિંહની પત્ની છે પરિણીત
કોંગ્રેસે પટિયાલાની સાંસદ પરિણીત કૌરને શુક્રવારે પાર્ટીથી કાઢી દીધેલ છે. પંજાબનાં પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પરનીત કૌર પર BJPની મદદ કર્યા હોવાનો આરોપ હતો. કોંગ્રેસની અનુશાસન સમિતિએ કૌરને કારણ જણાવવાની નોટિસ આપીને ત્રણ દિવસની અંદર તેને જવાબ આપવાનું કહ્યું હતું કે તેમને પાર્ટીથી શા માટે ન કાઢવા જોઈએ.
પાર્ટી વિરોધી ગતિવિધિયો કર્યાનો આરોપ
કોંગ્રેસની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષને પંજાબ કોંગ્રેસનાં અધ્યક્ષ અમરિંદરસિંહ રાજા વારિંગની તરફથી ફરિયાદ મળી હતી કે પટિયાલાની સાંસદ પરનીત કૌર પાર્ટી વિરોધી ગતિવિધિયોમાં શામેલ છે અને બીજેપીની મદદ પણ કરી રહી છે. પંજાબ કોંગ્રેસનાં કેટલાક અન્ય નેતાઓનું પણ આ જ કહેવું છે.
Congress suspends Captain Amarinder Singh's wife MP Preneet Kaur for anti-party activities
કૌરને આપવામાં આવી હતી નોટિસ
ફરિયાદ પર જરૂરી કાર્યવાહી કરવા માટે કોંગ્રેસની અનુશાસનાત્મક સમિતિને મોકલવામાં આવી હતી. કોંગ્રેસની આ સમિતિએ ફરિયાદ પર તપાસ બાદ નિર્ણય કર્યો કે સાંસદ પરનીત કૌરને પાર્ટીથી તાત્કાલિક કાઢી દેવામાં આવે. સાથએ જ તેમને કારણ જણાવવા અંગેની નોટિસ પર આપવામાં આવી હતી. જેમાં તેમને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું કે તેમને શા માટે પાર્ટીથી ન કાઢવું જોઈએ.
2022 અમરિંદર સિંહે કર્યું BJP સાથે ગઠબંધન
પરિણીત કૌર પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહની પત્ની છે. કેપ્ટન અમરિંદર સિંહે વર્ષ 2021માં કોંગ્રેસ છોડી હતી. ત્યારબાદ તેમણે પંજાબ લોક કોંગ્રેસ નામથી પોતાની પાર્ટી બનાવી હતી. 2022માં તેમણે થયેલ પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા BJP સાથે ગઠબંધન કરી લીધું હતું.