પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે વિખવાદનો અંત આવે તે માટે હાઈકમાન્ડે મોટા પાયે તૈયાર કરી લીધી છે.
સિદ્ધુને પંજાબના રાજકારણમાં મોટું પદ મળી શકે
કેપ્ટનનો બાજવા સાથે હાથ મિલાવો, એનો અર્થ શું?
કેપ્ટન અમરિન્દરસિંહ હાઈકમાનથી પણ નારાજ
પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે વિખવાદનો અંત આવે તે માટે હાઈકમાન્ડે મોટા પાયે તૈયાર કરી લીધી છે.
અમરિન્દરસિંહે પ્રતાપસિંહ બાજવા સાથે હાથ મિલાવ્યા
હાઈકમાન્ડે નવી ફોર્મ્યુલા તૈયાર કરી જેમાં દ્ધુનું કદ વધી શકે છે સીએમ અમરિંદર સિંહ પંજાબના રાજકારણમાં નવજોત સિંહ સિદ્ધુના વધતા જતા કદથી પરેશાન છે સિદ્ધુની સક્રિયતાને રોકવા પંજાબના મુખ્યમંત્રીએ તેમના વિરોધી પ્રતાપસિંહ બાજવા સાથે પણ હાથ મિલાવી દીધા છે. સીએમ અમરિંદર સિંહ તરફથી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે સિદ્ધુની સક્રિયતા ઓછી થાય. જેને લઈ અમરિંદર સિંહે તેમના હરીફ પ્રતાપસિંહ બાજવા સાથે હાથ મિલાવ્યા છે, તેમણે બાજવાને તેમના નિવાસ સ્થાને બોલાવ્યા અને એક મહત્વપૂર્ણ બેઠક યોજી પંજાબ વિધાનસભા અધ્યક્ષ અને કોંગ્રેસના જૂના નેતા રાણા કેપી સિંહે પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.
બાજવા સાથે હાથ મિલાવો, એનો અર્થ શું?
અમરિંદર અને બાજવા વતી કોંગ્રેસ હાઈકમાન્ડને સ્પષ્ટ સંદેશો આપવામાં આવી રહ્યો છે કે પંજાબમાં પાર્ટીની લગામ કોઈ જૂના કોંગ્રેસના હાથમાં રહેવી જોઈએ. હાલ, નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ છોડ્યાને થોડા વર્ષો થયા છે, પરંતુ તેમ છતાં પાર્ટી હાઈકમાન્ડ સિદ્ધુનને વધારે મહત્વ આપે છે તે અમરિંદર સિંહ પસંદ નથી જેને લઈ અમરિંદર સિંહની નારાજગી સામે આવી છે આ સમયે પોતાના દરેક વિરોધીઓ સાથે હાથ મિલાવવા માટે તૈયાર થયા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબ કોંગ્રેસમાં આવા ઘણા જૂથો છે જે મુખ્યમંત્રીનો વિરોધ કરે છે પરંતુ સિદ્ધુને રોકવા માટે એક સાથે આવી શકે છે.
સિદ્ધુને પંજાબના રાજકારણમાં મોટું પદ મળી શકે
રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચા છે કે નવજોત સિંહ સિદ્ધુને પંજાબના રાજકારણમાં મોટું પદ મળવાનું છે, તેમને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. ધારાસભ્ય-મંત્રીઓની બેઠકનો રાઉન્ડ પણ સિદ્ધુએ શરૂ કરી દીધો છે જેને લઈ રાજકારણ ગરમાયું છે. આ જ કારણ છે કે હવે કેપ્ટન અમરિંદર સિંહ તેની છેલ્લો દાવ રમવાનો પ્રયાસ કરી રહ્યો છે. અમરિંદર સિંહ માને છે કે સિદ્ધુના વધતા કદથી પ્રતાપસિંહ બાજવા પણ પરેશાન છે, તેથી તેમની સાથે બેઠક કરીને બંને હવે પંજાબના રાજકારણમાં આ મોટી ઉથલપાથલ રોકવા માંગે છે.
કેપ્ટન અમરિંદર સિંહ હાઈકમાનથી પણ નારાજ
કેપ્ટન અમરિંદર સિંહ હાઈકમાનથી પણ નારાજ ચાલી રહ્યા છે. તેમનું માનવું છે કે પંજાબ કોંગ્રેસના કલહને હાઈકમાને યોગ્ય રીતે હેન્ડલ કર્યો નથી. તેને લીધે પાર્ટી સાથે તેમની છબિને નુકસાન પહોંચ્યું છે. મહત્વનું છે કે સિદ્ધુ સાથે 2 કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવશે, જેમનું નામ અમરિંદર નક્કી કરશે. કેબિનેટમાં ફેરફારમાં પણ કેપ્ટનને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે. કોને મંત્રી બનાવવા અથવા કેબિનેટમાં સ્થાન આપવું કે નહીં તે અંગે સિદ્ધુ સહિત કોઈ પણ નેતા દરમિયાનગીરી કરી શકશે નહીં. કોંગ્રેસ એક-બે દિવસમાં સિદ્ધુને પ્રદેશના અધ્યક્ષ પણ બનાવવાની જાહેરાત કરી શકે છે.