પંજાબના રાજકારણમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે, કોંગ્રેસના પીઢ નેતા સિદ્ધુએ પંજાબ રાજ્યના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે.
જણાવી દઇએ કે, સિદ્ધુએ પોતાનું રાજીનામું કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત મોટો વિવાદ સામે આવ્યો છે. પંજાબની રાજનીતિમાં કોંગ્રેસ સામે એક સાંધે ત્યાં તેર તૂટે તેવા હાલ થયા છે. નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષપદેથી રાજીનામું આપીને દરેકને ચોંકાવી દીધાં છે.
શું લખ્યું છે રાજીનામા
મંગળવારે સોનિયા ગાંધીને મોકલેલા રાજીનામામાં સિદ્ધુએ લખ્યું કે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં નીચે પડવાની શરૂઆત સમાધાનથી થાય છે. હું પંજાબના ભવિષ્ય માટે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરી શકું. આ માટે પંજાબ પ્રદેશ અધ્યક્ષપદેથી તાત્કાલિક રાજીનામું આપું છું.
આપને જણાવી દઇએ કે, નવજોત સિદ્ધુએ 2 મહિના પહેલા 23 જુલાઈના રોડ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો હતો. 2017માં તેઓ ભાજપમાથી કોંગ્રેસમાં જોડાયા.
બીજી બાજુ કોંગ્રેસને માથે પહેલેથી જ સંકટ ઊભું હતું
પંજાબના રાજકારણમાં હવે ભૂકંપ જેવી પરિસ્થિતી સર્જાઈ છે. આજે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ દિલ્હીમાં જઈ શકે છે. જ્યાં તેઓ સાંજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સાથે મુલાકાત લેવાના છે. જેના કારણે એવી ચર્ચાએ જોર પક્ડયું છે અમરિંદર સિંહ ભાજપમાં જોડાઈ શકે છે.
સિદ્ધુ સામે મજબૂત દાવેદાર ઉતારીશ: કેપ્ટન
મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે કહ્યું કે તેમનું ઘણું અપમાન થયું છે. જેને લઈને તેમણે મુખ્યમંત્રીનું પદ છોડ્યું છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે જો પંજાબમાં 2022ની ચૂંટણી કોંગ્રેસ જીતશે તોપણ તે સિદ્ધુને મુખ્યમંત્રી નહી બનવા દે અને તેની સામે મજબૂત દાવેદાર ઉતારશે.
I told you so…he is not a stable man and not fit for the border state of punjab.
પંજાબ કોંગ્રેસના પીઢ નેતા નવજોતસિંહ સિદ્ધુએ પંજાબમાં કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું પંજાબના રાજકારણમાં ભૂંકપ સર્જાયો છે. ત્યારે સિદ્ધુના રાજીનામા બાદ કેપ્ટન અમરિંદર સિંહે ટ્વિટર પરથી આ અંગે પોતાની પ્રતિક્રીયા આપતાં જણાવ્યું હતું કે, મે પહેલાં જ કહ્યું હતું કે, સિદ્ધુ સ્થિર વ્યક્તિ નથી. પંજાબની જનતા માટે પહેલેથી જ ફીટ નથી. અમરિંદર સિંહના આ પ્રકારના ટ્વિટથી પંજાબના રાજકારણમાં ભારે ગરમાવો આવી જવા પામ્યો છે.