પંજાબમા આખરે લાંબા સમયથી શિક્ષકોની માગને પુરી કરવામાં આવી છે, અહીં કોલેજો અને યુનિવર્સિટીઓના શિક્ષકોની સેલરી વધારવામાં આવી છે.
પંજાબમાં સીએમ ભગવંત માને શિક્ષક દિવસે શિક્ષકોને આપી મોટી ભેટ
કોલેજો અને યુનિવર્સિટીઓના શિક્ષકોની સેલરી વધારી
લાંબા સમયથી પડતર માગ હતી, સાતમું પગારપંચ લાગૂ કર્યું
શિક્ષક દિવસ...5 સપ્ટેમ્બરના રોજ પંજાબના હજારો શિક્ષકો માટે ખુશખબર આવી છે. અહીં શિક્ષકોની સેલરી વધવાની છે. પંજાબ સરકારે રાજ્યોની કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભણાવતા ટિચર્સને શિક્ષક દિવસે મોટી ભેટ આપવામા આવી છે. સીએમ ભગવત માને આ શિક્ષકો માટે યુજીસી સાતમું પગારપંચ લાગૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, પંજાબની કોલેજો અને યુનિવર્સિટીના ટીચર્સને 7th Pay Commission Salary સેલરી આપવામાં આવશે. તેને 1 ઓક્ટોબર 2022થી લાગૂ કરી દેવામાં આવશે.
પંજાબ સીએમ ભગવંત માને કહ્યું કે, યુજીસી સાતમું પગારપંચની માગ શિક્ષકો લાંબા સમયથી કરી રહ્યા હતા. આ શિક્ષકોની મોટી માગ હતી. જેને અમે પુરી કરી છે. સાતમું પગાર પંચ લાગૂ થતાં જ શિક્ષકોની સેલરી સારી એવી વધી જશે. બેસિક પેની સાથે સાથે અન્ય ભથ્તા પણ વધી જશે.
ગેસ્ટ ફેકલ્ટીની સેલરી પણ વધી
ટિચર્સ ડે પર સીએમ માને ગેસ્ટ ફેકલ્ટી ટીચર્સ માટે પણ મોટી જાહેરાત કરી છે. પંજાબમાં ગેસ્ટ ટીચર્સની સેલરી પણ વધારવામાં આવી છે. જો કે, તેમાં એક શરત લાગૂ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જે ગેસ્ટ ફેકલ્ટી કોલેજોમાં છેલ્લા 18થી 20 વર્ષથી ભણાવી રહ્યા છે, તેમની જ સેલરી વધારવામાં આવશે.
અહીં ઉલ્લેખનિય છે કે, પંજાબ દેશનું એકમાત્ર એવું રાજ્ય હતું, જ્યાં યુજીસી સાતમું પગાર પંચ નહોતું લાગુ કર્યું. રાજ્યની લગભગ 20 હજાર કોલેજો અને શિક્ષકોની વર્ષોથી સેલરી વધારવાની માગ કરી રહ્યા હતા તેમનું વેતન છેલ્લે 2006માં રિવાઈઝ કરવામાં આવ્યું હતું. વેતન વધારવાની માગને લઈને આ યુનિવર્સિટી ટીચર્સ ઘણી વાર વિરોધ પ્રદર્શન અને ભૂખ હડતાળ પણ કરી છે.