પંજાબમાં ખેડૂતોના આંદોલનને જોતા હાલમાં ટ્રેનોની સર્વિસ બંધ કરવામાં આવી છે, જોકે તેના કારણે અન્ય વસ્તુઓ પર ખરાબ અસર પડી રહી છે જેને લઈને ત્યાંના મુખ્યમંત્રીએ નડ્ડાને પત્ર લખ્યો છે.
કેપ્ટન અમરિંદર સિંહે લખ્યો પત્ર
માલગાડીઓ શરુ કરવા માટે વિંનતી
માલગાડીઓ ચાલતી ન હોવાથી પંજાબમાં મુશ્કેલી
પંજાબમાં સીએમ કેપ્ટન અમરિંદર સિંહે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડાને રવિવારે બપોરે ખુલ્લો પત્ર લાખ્યો છે અને તેમાં પંજાબમાં ટ્રેનોનું સંચાલન ફરીથી શરુ કરવા માટે માંગ કરતા સંયુક્ત રૂપથી કામ કરવા માટે અપીલ છે. પંજાબમાં આંદોલનના કારણે ટ્રેનનું સંચાલન ન થઇ શકવા મુદ્દે તેમણે ભાજપના અધ્યક્ષથી સમાધાન અને સહયોગની અપેક્ષા વ્યક્ત કરી છે.
CM has written open letter to BJP pres JP Nadda over suspension of goods trains by Railways, CM has called for collective will to resolve imbroglio that could have dangerous consequences not just for Punjab but entire nation, including armed forces in Ladakh & Kashmir: Punjab CMO pic.twitter.com/JS6vC4AqSw
અમરિંદર સિંહે કહ્યું કે માલગાડીઓ બંધ હોવાના કારણે ઉદ્યોગોને જોરદાર ઝટકો લાગ્યો છે અને નુકસાન થઇ રહ્યું છે. આ સિવાય પાવર પ્લાન્ટને પણ કોલસા મળી રહ્યા નથી અને તેને બંધ કરી દેવાની પરિસ્થીતિ પેદા થઇ રહી છે. ખેત ઉત્પાદનનું બહાર નિકાસ ન થઇ શકવાનાના કારણે ખેડૂતો ખૂબ હેરાન થઇ રહ્યા છે.
કેપ્ટને એમ પણ કહ્યું કે જો માલગાડી ચાલુ થતી નથી તો જમ્મૂ કાશ્મીર અને લદાખમાં જે જવાનો તૈનાત છે તેમને જરૂરી સામાન મળી શકશે નહીં. આ સ્થિતિમાં દેશની રક્ષા માટે મુશ્કેલ પરિસ્થિતિમાં તૈનાત જવાનો પર ખૂબ મોટું સંકટ ઉભું થઇ શકે છે. જો માલગાડી ચાલુ થતી નથી તો અનાજને બીજા રાજ્યોમાં પહોંચાડી શકાશે નહીં અને આખા દેશમાં પરેશાની ઉભી થઇ જશે.
નોંધનીય છે કે પંજાબમાં ખેડૂતો કેન્દ્ર સરકારની સામે અંદોલન કરી રહ્યા છે અને તેના કારણે ટ્રેનની સર્વિસને બંધ કરી દેવામાં આવી છે. પંજાબમાં માલગાડીઓ જતી નથી જેના કારણે અનેક સમસ્યાઓ ઉભી થઇ રહી છે.