કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદા વિરુદ્ધ દેશના અલગ-અલગ ભાગમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. આ વચ્ચે મંગળવારના રોજ પંજાબ વિધાનસભામાં આ કાયદા સામે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. પંજાબ આવું રાજ્ય કરનારું પહેલું રાજ્ય બન્યું છે. મંગળવારના રોજ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિહેં વિધાસનભામાં પ્રસ્તાવ રજૂ કર્યો છે.
આ પ્રસ્તાવમાં આ વાતને સામેલ કર્યું છે કે જો ખેડૂતોને MSPની નીચે પાકને વેચવા પર મજબૂર કરવામાં આવશે તો એવા વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની જેલની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે જ કોઇપણ કંપની અથવા વ્યક્તિ દ્વારા ખેડૂતો પર જમીન, પાકને લઇને દબાણ બનાવામાં આવે છે તો દંડની સાથે જેલનો પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવમાં કેન્દ્ર સરકારના દ્વારા લાવવામાં આવે ત્રણેય કૃષિ કાયદાઓની ટીક કરવામાં આવી છે. આ પ્રસ્તાવ રજૂ કર્યા પછી સીએમ ત્રણ કૃષિ કાયદા સિવાય ઇલેકટ્રિસિટી બિલમાં પણ જે ફેરફાર કરવામાં આવ્યાં, તે બધા ખેડૂત અને મજદૂર વિરોધી છે. તેમં માત્ર પંજાબ જ નહીં, પરંતુ હરિયાણા અને વેસ્ટ યૂપી પર તેની અસર પડશે.
Draft resolution states that Farm laws are against constitution (Entry 14 List-II), which mentions agriculture as a state subject & these legislations are a direct attack to encroach upon functions & powers of states,as enshrined in constitution: Punjab CM Captain Amarinder Singh https://t.co/atuye5goBopic.twitter.com/3hjKUm8pdY
વિધાનસભામાં કેન્દ્રના કાયદાઓ સામે ત્રણ નવા બિલ રજૂ કરાયાં, જ કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવેલા કાયદાઓથી બિલકુલ અલગ છે અને MSP ને જરુરી કરે છે. પંજાબ સીએમએ રેલવે ટ્રેક પર બેસી ગયેલા ખેડૂત ભાઇને અપીલ કરીછે કે હવે ધરણા પુરા કરી દે અને કામ પર પરત ફરે, આ કાયદાઓ સામે કાનૂની લડાઇ લડીશું.
પંજાબના સીએમએ આ દરમિયાન આમ આદમી પાર્ટી પર પણ નિશાન તાક્યું હતું અને કહ્યું હતુ કે કેટલાક લોકો વિધાનસભામાં રાત પસાર કરી રહ્યાં, કોઇ ટ્રેકટર પર આવી રહ્યું છે. આવામાં આ મુદ્દાઓથી કંઇ નહીં થાય, પ્રદર્શનથી કોઇ ફાયદો નહીં થાય જ્યાં સુધી આપણે એક જૂટ થઇને કેન્દ્ર સરકાર સામે લડાઇ નહીં લડીએ. સીએમએ જાહેરાત કરી કે આ બિલના આધાર પર રાજ્ય સરકાર આગળ કાયદાકીય લડાઇ લડશે.