પંજાબમાં છેલ્લા ઘણા દિવસથી રાજકારણ ગરમાયું છે ત્યારે સિદ્ધુ જૂથનો આખરે વિજય થયો છે અને આજે રાહુલ ગાંધીના આદેશ બાદ સીએમ અમરિન્દરસિંઘે રાજીનામું આપ્યું છે.
પંજાબ CM કેપ્ટનનું રાજીનામું
આજે સવારથી રાજીનામાંની થઈ રહી હતી અટકળો
ઘણા મહિનાથી સિદ્ધુ અને કેપ્ટન વચ્ચે ચાલી રહ્યો હતો વિવાદ
કેપ્ટન થયા આઉટ
આજે સવારથી પંજાબના રાજકારણમાં મોટી ઉથલપાથલ થયેલી છે ત્યારે આખરે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંઘે રાજીનામું આપ્યું છે. આજે સાંજે જ રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ તેમણે રાજીનામાંની જાહેરાત કરી છે. નોંધનીય છે કે હવે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે જેમા જાખડનું નામ આગળ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પંજાબ કોંગ્રેસમાં ખટરાગ ચાલી રહ્યો છે. ખાસ કરીને કેપ્ટન અમરિન્દર સિંઘ અને નવજોત સિંઘ સિદ્ધુ વચ્ચે ચાલતા વિવાદોના કારણે જુથવાદ ઊભરી આવ્યો હતો.
Punjab CM Captain Amarinder Singh submits resignation to Governor Banwarilal Purohit, at Raj Bhavan in Chandigarh. pic.twitter.com/qIlYcr71L7
નોંધનીય છે કે આજે કેપ્ટનની સાથે સાથે આખેઆખી કેબિનેટનું પણ રાજીનામું લેવામાં આવ્યું છે. તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે આજે મેં અને મારી કેબિનેટે રાજીનામું આપ્યું છે. હવે કોંગ્રેસ માટે મોટી સમસ્યા ઊભી થવાના અણસાર છે.
CM Captain Amarinder Singh has met Punjab Governor and submitted his and his council of ministers’ resignation. He will address the media at the Raj Bhavan gate in a few minutes from now: Raveen Thukral, Media Advisor to Punjab CM pic.twitter.com/VwxpGruX74
કોણ છે સુનીલ જાખડ
સુનીલ જાખડ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે. પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને જાખડ વચ્ચે ઘરોબો છે. નવજોત સિંહ સિદ્ધુ જાખડને પોતાના મોટાભાઈ ગણાવે છે અને તેઓ ઘણા પ્રસંગે જાહેરમાં ગળે મળતા જોવા મળ્યાં હતા. તેઓ એકબીજાને જ્યારે પણ મળે છે ત્યારે ખૂબ જ ઉમળકાભેર તેમનું સ્વાગત કરે છે.
અમરિન્દરે કોંગ્રેસ છોડવાની આપી ધમકી
અમરિંદર સિંહ આ રીતે વિધાનસભા પક્ષની બેઠક બોલાવવાથી નારાજ હતા. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ફોન કરીને આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતો અને કહ્યું હતું કે જો તેમને આ રીતે કોંગ્રેસના પદ પરથી હટાવી દેવામાં આવે તો તે તેમનું અપમાન હશે.
અમરિંદર સિંહને જાણકારી ન્હોતી
AICC ના મહામંત્રી અને પંજાબ બાબતોના પ્રભારી હરીશ રાવતે શુક્રવારે રાત્રે આ બેઠક બોલાવવાની જાહેરાત કરી હતી. બેઠકમાં તમામ ધારાસભ્યોના મંતવ્યો સાંભળવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું હતું. કોંગ્રેસ હાઇકમાન્ડે કેપ્ટનની કામગીરીથી નિરાશ 40 ધારાસભ્યોના પત્ર બાદ આખરે આજે સાંજે 5 વાગ્યે ચંદીગઢના પંજાબ કોંગ્રેસ ભવનમાં ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. જો કે અમરિંદર સિંહને અગાઉ ધારાસભ્ય દળની બેઠક અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
કેપ્ટન અમરિંદર સિંહની રાજકીય સફર
કેપ્ટન અમરિંદર પટિયાલાના રાજપરિવારથી આવે છે
અમૃતસરના તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે
કેપ્ટન અમરિંદરના પત્ની પરનીત કૌર પણ રાજનીતિમાં સક્રિય છે
મનમોહનસિંહની સરકારમાં તેઓ ભારતના વિદેશ રાજ્ય મંત્રી હતા
1980માં તેઓ લોકસભાના સાંસદ બન્યા
કોંગ્રેસ સરકારની ઓપરેશન બ્લૂ સ્ટારની કાર્યવાહી બાદ તેઓએ રાજીનામું આપ્યું
1992માં તેઓએ શિરોમણિ અકાલી દળ (પંથિક)નું ગઠન કર્યું
1998માં તેમની ખુદની હાર થતા પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કરી દીધો
1999થી 2002 અને 2010થી 2013 સુધી પંજાબ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા
2002થી 2007 સુધી પંજાબના મુખ્યમંત્રી પણ રહ્યાં
2014માં અમૃતસર લોકસભા સીટથી અરુણ જેટલીને એક લાખ મતથી હરાવ્યા
2015માં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા
2017માં કોંગ્રેસે બહુમત સાથે ચૂંટણી જીત અને કેપ્ટન અમરિંદર સીએમ બન્યા