પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને આજ રોજ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, '23 માર્ચનાં રોજ શહીદ દિવસ પર રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરાશે.'
પંજાબના નવા મુખ્યમંત્રી બનતાની સાથે જ CM ભગવંત માન એક્શનમાં
23 માર્ચનાં રોજ રાજ્યમાં શરૂ કરાશે ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન
હું એક હેલ્પલાઇન શરૂ કરીશ કે જે મારો અંગત વોટ્સએપ નંબર હશે
પંજાબના નવા મુખ્યમંત્રી બનતાની સાથે જ CM ભગવંત માન એક્શનમાં આવી ગયા છે. ભગવંત માને જાહેરાત કરતા જણાવ્યું કે, 'તારીખ 23 માર્ચના રોજ ભગતસિંહના શહીદ દિવસ પર એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે. પંજાબના લોકો હવે WhatsApp ના આધારે ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરાવી શકશે. CM ભગવંત માને કહ્યું કે, ' આ હેલ્પલાઇન નંબર ઇમાનદાર ઓફિસરો અને કર્મચારીઓ માટે નહીં પરંતુ લાંચ લેનારા ઓફિસરો માટે છે. તેઓને બિલકુલ છોડવામાં નહીં આવે. તેઓની વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.'
भगत सिंह जी के शहीदी दिवस पर, हम anti-corruption हेल्पलाइन नम्बर जारी करेंगे। वो मेरा पर्सनल वॉट्सऐप नंबर होगा। अगर आपसे कोई भी रिश्वत मांगे, उसकी वीडियो/ऑडियो रिकॉर्डिंग करके मुझे भेज देना। भ्रष्टाचारियों के ख़िलाफ़ सख्त एक्शन लिया जाएगा।
CM માને કહ્યું કે, '23 માર્ચનાં રોજ શહીદ દિવસ પર હું એક હેલ્પલાઇન શરૂ કરીશ કે જે મારો અંગત વોટ્સએપ નંબર હશે. પંજાબમાં જો કોઈ તમારી પાસેથી લાંચ માંગે તો તેને તુરંત ના પાડો, વીડિયો કે ઓડિયો રેકોર્ડિંગ બનાવો અને તે નંબર પર મોકલજો. મારી ઓફિસ તે મામલે વધુ તપાસ કરશે અને જે પણ ગુનેગાર હશે તેને બક્ષવામાં નહીં આવે.'
पंजाब की जनता के हित में आज एक बहुत बड़ा फ़ैसला लिया जाएगा। पंजाब के इतिहास में आज तक किसी ने ऐसा फैसला नहीं लिया होगा।
અત્રે નોંધનીય છે કે, થોડા જ કલાકો પહેલાં ભગવંત માને એવી જાહેરાત કરી હતી કે, 'આજે જનતાના હિતમાં એવો નિર્ણય લઈશ કે જે પંજાબના ઇતિહાસમાં આજ દિન સુધી કોઈએ નિર્ણય નહીં લીધો હોય.' ત્યારે તેઓએ જણાવ્યું કે, 'લાંચ લેનારાઓ વિરૂદ્ધ 23 માર્ચનાં એક હેલ્પલાઇન જાહેર કરવામાં આવશે કે જે મારો અંગત વોટ્સએપ નંબર હશે. તેની પર જે કોઇ પણ તમારી પાસે લાંચ માંગે તો તુરંત તેનો વીડિયો કે ઓડિયો આ નંબર પર શેર કરજો, અમારી ઓફિસ આ મામલે સંપૂર્ણ તપાસ કરશે.'
સિદ્ધુએ કર્યા વખાણ
કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુએ પણ AAP નેતા અને નવા મુખ્યમંત્રી ભગવંત માનના આ મોટા નિર્ણયની પ્રશંસા કરી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપનાર સિદ્ધુએ કહ્યું કે 'પંજાબમાં આ નવા એન્ટી-માફિયા યુગની શરૂઆત છે.'