કોરના સંકટમાં દેશ જ્યારે અત્યારે અનલોક તરફ આગળ વધી રહ્યો છે ત્યારે પંજાબ સરકારે એકવાર ફરી લોકડાઉન તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો છે. જો કે રાજ્ય સરકારે હાલમાં અત્યારે માત્ર સપ્તાહના અંતમાં એટલે કે શનિવાર અને રવિવાર લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે. જો કે રાજ્ય સરકારે હાલમાં સપ્તાહના અંતમાં અને કોઇપણ રજાના દિવસે સંપૂર્ણ લોકડાઉનનું એલાન કર્યું છે, જેમાં આવશ્યક સેવાઓને છોડીને કોઇને પણ ઘરમાંથી બહાર નીકળાવાની મંજૂરી નહી રહે. આમ શનિવાર અને રવિવારના રોજ પંજાબમાં સંપૂર્ણ લોકડાઉન જોવા મળશે.
પંજાબમાં રજાના દિવસે સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે
પંજાબમાં શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે
પંજાબમાં આવશ્યક સેવાઓ સિવાય કોઇ બહાર નહીં નીકળી શકે
રાજ્ય સરકાર દ્વારા પંજાબમાં રજાના દિવસે સંપૂર્ણ લોકડાઉન લાગુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં શનિવારે અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રાખવાનો નિર્ણય કરાયો છે. જેને લઇ આજે બસ સહિતનની તમામ સેવાઓ બંધ છે.
જ્યારે પંજાબમાં આવશ્યક સેવાઓ સિવાય કોઇ પણ લોકો બહાર નીકળી શકશે નહીં. પંજાબની સીમાઓ પણ પૂરી રીતે સીલ કરી દેવાશે. આ ઉપરાંત વિમાન, ટ્રેનથી આવનારા લોકોને પણ 14 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. આ સાથે જ ચંદીગઢમાં ઇન્ટર સ્ટેટ સેવા પણ બંધ કરી દેવાઇ છે.
ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ કોરોના સંકટ સામે લડવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યાં છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદ સિંહે કોરોના સામેની લડતને લઇને કેટલાંક કડક નિર્ણય લેવા અંગેના સંકત આપ્યાં હતા.