કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારીને અટકાવા માટે લૉકડાઉન પાર્ટ-2 જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પંજાબમાં અત્યાર સુધીમાં 322 જેટલા કોરોના વાયરસના કેસ નોંધાયા છે અને 19 લોકોના મોત થયાં છે,ત્યારે રાજ્ય સરકાર દ્વારા લૉકડાઉનને લઇને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાનો કહેર યથાવત
પંજાબ સરકારે 2 અઠવાડિયા લંબાવ્યું લૉકડાઉન
કેપ્ટન અમરિન્દર સિંહે બુધવારે મોટો નિર્ણય લેતા જણાવ્યું કે, લૉકડાઉન 3 મે બાદ પણ 2 અઠવાડિયા લંબાશે દેમાં દરરોજ દિવસ દરમિયાન 4 કલાક રાહત આપવામાં આવશે જેથી લોકો પોતાની જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ ખરીદી શકે. આ સાથે જ તેમણે જણાવ્યું કે,રાજ્યમાં સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાહત આપવામાં આવશે.
#CoronavirusLockdown will be lifted from 7 am to 11 am every day; during this time people can come out of their houses and shops will be opening. Also, we have decided to extend the curfew in the state by two more weeks: Punjab Chief Minister Captain Amarinder Singh. pic.twitter.com/iJBdS9jmrI
વિશ્વની સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 31 હજાર 332 પર પહોંચી છે અને હાલ એક્ટીવ કેસની સંખ્યા 22 હજાર 569 છે. ભારતમાં અત્યાર સુધીમાં 1008 લોકોના મૃત્યુ થયા છે. અને 7747 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં આજે વધુ 610 લોકો થયા સજા થયા છે.
સૌથી વધુ મહારાષ્ટ્રમાં કેસ
સૌથી વધુ મહારાષ્ટ્રમાં 9 હજાર 282 લોકો કોરોના પોઝિટિવ દર્દીઓ છે. મહારાષ્ટ્રમાં હાલ એક્ટીવ કેસની સંખ્યા 7 હજાર 494 થઈ છે. તો યુપીમાં કુલ કેસની સંખ્યા 2053, દિલ્હીમાં કુલ કેસની સંખ્યા 3314, રાજસ્થાનમાં કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 2364 થઈ છે. મધ્યપ્રદેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2387 થઇ છે. ગુજરાતમાં કુલ 3 હજાર 774 કોરોના સંક્રમિતો છે.