AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આ આપણા બધા માટે ખૂબ જ મોટો દિવસ છે. મુખ્યમંત્રી ભગવંત માન તેમના જીવનનો નવો અધ્યાય શરૂ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી ભગવંત માન આજે ચંદીગઢમાં ગુરપ્રીત સાથે લગ્ન કરશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આપશે પરિવાર સાથે હાજરી
2016માં પ્રથમ પત્ની છૂટાછેડા થયા બાદ આજે બીજા લગ્ન કરશે CM માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે ત્રણ મહિનામાં બીજી વખત ખુશીએ દસ્તક આપી છે. સીએમ માન પોતે ગુરુવારે ચંદીગઢમાં લગ્ન કરવાના છે. આ લગ્ન માનના સરકારી બંગલામાં થશે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પરિવાર સાથે હાજરી આપવા આવી રહ્યા છે. આ સાથે AAP નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ માનના લગ્ન અંગે ખુશી વ્યક્ત કરી છે.
શું કહ્યું રાધવ ચઢ્ઢાએ ?
રાઘવ ચડ્ડાએ કહ્યું કે, આ આપણા બધા માટે ખૂબ જ મોટો દિવસ છે. મુખ્યમંત્રી ભગવંત માન તેમના જીવનનો નવો અધ્યાય શરૂ કરી રહ્યા છે. એક નાનું ફંક્શન ચાલી રહ્યું છે. એક નાનકડી વિધિ કરવામાં આવશે. જેમાં અરવિંદ કેજરીવાલ પરિવાર સામેલ થશે. રાઘવે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીની પત્ની વ્યવસાયે ડોક્ટર છે અને હું તેમનો સાળો બનવાનો છું. ચડ્ડાએ એ પણ જણાવ્યું કે માનના લગ્ન શીખ પરંપરાઓ અનુસાર થશે. લગ્ન આનંદ કારજ હેઠળ સંપન્ન થશે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી માનના લગ્ન 12 વાગ્યા પહેલા જ સત્તાવાર નિવાસસ્થાને યોજાશે. લગ્નમાં ફક્ત પરિવાર અને અંગત સંબંધીઓ જ સામેલ થશે.
AAP MP Raghav Chadha arrives at party leader and Punjab CM Bhagwant Mann's residence for his wedding, in Chandigarh pic.twitter.com/IejR4IFGYg
ભગવંત માન 48 વર્ષના છે. તેઓ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનની પ્રથમ પત્ની ઈંદરપ્રીત કૌર સાથે છૂટાછેડા લીધા છે. તેમને બે બાળકો પણ છે. જે ભગવંત માનની પત્ની સાથે અમેરિકામાં રહે છે, કહેવાય છે કે, ચંડીગઢમાં ભગવંત માનના લગ્નનું આયોજન થશે. તેમાં અરવિંદ કેજરીવાલ સહિત ખાસ લોકો હાજર રહેશે.
ગુરપ્રીતનું ઉપનામ ગોપી
ભગવંત માનની પત્ની ડોક્ટર ગુરપ્રીત કૌર (32 વર્ષ)નું હુલામણું નામ ગોપી છે. ગુરપ્રીત પેહવા નગરનો રહેવાસી છે. તેમના પરિવારના સભ્યો હાલમાં એક અઠવાડિયા માટે ચંદીગઢમાં છે. ભગવંત માન (48 વર્ષ)ના આ બીજા લગ્ન છે. કોમેડિયનમાંથી રાજનેતા બનેલા ભગવંત માન 2014માં પ્રથમ વાર સંગરુરથી સાંસદ બન્યા હતા. ત્યારે તેમની પત્ની ઈંદરકૌર પણ તેમના પ્રચારમાં દેખાયા હતા. જો કે, બંનેએ 2016માં છૂટાછેડા લઈ લીધા હતા. ભગવંત માને 2019માં સંગરુરથી ચૂંટણી જીત્યા હતા, પણ 2022માં તે આપ તરફથી પંજાબના સીએમ ઉમેદવાર બન્યા, તેમના નેત઼ૃત્વમાં પાર્ટીને પ્રચંડ બહુમત મળ્યો, ભગવંત માને 16 માર્ચે પંજાબના સીએમ તરીકે શપથ લીધા હતા.
પહેલી પત્ની અમેરિકામાં રહે છે
તમને જણાવી દઈએ કે માનના 6 વર્ષ પહેલા તેમની પહેલી પત્ની ઈન્દ્રપ્રીતથી છૂટાછેડા થઈ ગયા હતા. પ્રથમ પત્ની સાથે બંને બાળકો (દીકરો અને પુત્રી) અમેરિકામાં રહે છે. ત્રણ મહિના પહેલા બંને બાળકો સીએમ તરીકે માનની શપથવિધિમાં આવ્યા હતા. માતાની ઈચ્છા હતી કે મુખ્યમંત્રી ભગવંત માન તેમના ઘરમાં વસવાટ કરે. એવું કહેવાય છે કે માનની માતા અને બહેને પોતે આ છોકરીને પસંદ કરી છે.