પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જે થયું તે રાષ્ટ્રનું અપમાન છે. તેઓએ કહ્યું કે આ ઘટનાએ દેશને શર્મસાર કરી છે. દિલ્હી પોલિસે ઘટનાની તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનું નિવેદન
ગણતંત્ર દિવસે દિલ્હીમાં હિંસા દેશનું અપમાન છેઃ અમરિંદર સિંહ
મારું માથું શરમથી ઝૂકી ગયુંઃ સિંહ
મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઘટનાએ દેશને શરમમાં મૂક્યો છે અને તેનાથી ખેડૂતોનું આંદોલન નબળું થયું છે. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ખેડૂતોની સાથે ઊભા છે કેમકે કેન્દ્રનો કૃષિ કાયદો ખોટો અને ભારતની સંઘીય વ્યવસ્થાની વિરુદ્ધ છે.
Shocking scenes in Delhi. The violence by some elements is unacceptable. It'll negate goodwill generated by peacefully protesting farmers. Kisan leaders have disassociated themselves & suspended #TractorRally. I urge all genuine farmers to vacate Delhi & return to borders.
કેપ્ટને કહ્યું કે લાલ કિલ્લો સ્વતંત્ર ભારતનું પ્રતીક છે. દેશની આઝાદી માટે અને સાથે આ ઐતિહાસિક કિલ્લાના શીર્ષ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે હજારો લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. તેઓએ કહ્યું કે મહાત્મા ગાંધીએ દેશની આઝાદી માટે અહિંસાનો સહારો લીધો. મુખ્યમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે જે થયું તેનાથી મારુ માથું શરમથી ઝૂકી ગયું છે.
સરકાર તપાસ કરે કે તેમાં કોઈ રાજનિતિક દળ કે અન્ય કોઈ દેશ શામેલ છે કે નહીં
તેઓએ કહ્યું કે જેણે પણ આ કામ કર્યું છે અને દેશને શર્મસાર કર્યો છે. દિલ્હી પોલીસ કેસની તપાસ કરે અને કાર્યવાહી પણ કરે. તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકારે આ કેસમાં તપાસ કરવી અને સાથે તેમા કોઈ રાજકીય દળ કે અન્ય દેશ સામેલ છે કે નહીં તે પણ જોવું. મુખ્યમંત્રીએ કહ્યું કે એ પણ નક્કી થવું જોઈએ કે કોઈ કિસાન નેતાને અનાવશ્યક પરેશાન ન કરાય.
લોકોની અવાજ સાંભળવામાં સરકાર નિષ્ફળ રહે છે ત્યારે આવી ઘટનાઓ બને છે
કેપ્ટને કહ્યું કે જ્યારે સરકાર લોકોનો અવાજ સાંભળવામાં નિષ્ફળ રહે છે ત્યારે આવી ઘટનાઓ બને છે. તેઓએ કહ્યું કે જનતા માટે અને જનતાની બનાવેલી સરકાર તેમની ઈચ્છા ટાળી શકે નહીં. તેઓએ કહ્યું કે ભાજપની અધ્યક્ષતામાં કેન્દ્રની એનડીએ સરકારના પ્રદર્શનને એવા દેશમાં આવનારી ચૂંટણીમાં સ્વીકાર કરી શકાય નહીં જ્યાં 70 ટકા જનતા ખેડૂત હોય.