પંજાબ કોંગ્રેસમાં ફરી વાર મોટી ઉથલપાથલ મચી છે. પ્રદેશાધ્યક્ષ પદેથી સિદ્ધુના રાજીનામા બાદ તેમના સમર્થનમાં કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાના અને ધારાસભ્ય પરગટ સિંહે પણ તત્કાળ રાજીનામું આપી દેતા સંકટ ઘેરુ બન્યું છે.
પંજાબના રાજકારણમાં નવા-જુનીના એંધાણ
સિદ્ધુ બાદ કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાનું રાજીનામું
સિદ્ધુની નજીકના વ્યક્તિ છે સુલ્તાના
નારાજ કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે સમાચાર આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના મંત્રીમંડળમાં મંત્રી રઝિયા સુલ્તાનાએ પણ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે.MLA પરગટ સિંહનું પણ રાજીનામું આપ્યું હોવાની ખબર વહેતી થઈ હતી જોકે ખુદ પરગટ સિંહે સામે આવીને તેમના રાજીનામાની ખબરને ખોટી ગણાવી હતી.
સિદ્ધુની નજીકના વ્યક્તિ છે સુલ્તાના
રઝિયા સુલ્તાનાને નવજોત સિંહ સિદ્ધુની નજીક માનવામાં આવે છે. રઝિયા સુલ્તાનાના રાજીનામાથી સ્પષ્ટ છે કે પંજાબમાં ચાલી રહેલું રાજકીય તોફાન જલ્દી અટકવાનું નથી.
Razia Sultana, who took as a Cabinet Minister of Punjab two days ago, resigns "in solidarity with Navjot Singh Sidhu", who stepped down as Punjab Congress president earlier today
She says, "Sidhu Sahab is a man of principles. He is fighting for Punjab and Punjabiyat." pic.twitter.com/XyL1fY4Ysq
રઝિયા સુલ્તાનાને ચન્ની સરકારમાં પાણી પુરવઠા અને સ્વચ્છતા અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મળ્યું. તેમણે કહ્યું કે દરેકને ખબર હતી કે કંઈક ખોટું થવાનું છે. તેમણે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુને કોઈ લોભ નથી. તેઓ પંજાબ અને પંજાબીયત માટે લડી રહ્યા છે. રઝિયા સુલ્તાના નવજોત સિંહ સિદ્ધુના સલાહકાર મોહમ્મદ મુસ્તફાની પત્ની છે.
નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું છે રાજીનામું
સિદ્ધુએ પોતાનું રાજીનામું કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત મોટો વિવાદ સામે આવ્યો છે. પંજાબની રાજનીતિમાં કોંગ્રેસ સામે એક સાંધે ત્યાં તેર તૂટે તેવા હાલ થયા છે. નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષપદેથી રાજીનામું આપીને દરેકને ચોંકાવી દીધાં છે.
શું લખ્યું છે રાજીનામા
મંગળવારે સોનિયા ગાંધીને મોકલેલા રાજીનામામાં સિદ્ધુએ લખ્યું કે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં નીચે પડવાની શરૂઆત સમાધાનથી થાય છે. હું પંજાબના ભવિષ્ય માટે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરી શકું. આ માટે પંજાબ પ્રદેશ અધ્યક્ષપદેથી તાત્કાલિક રાજીનામું આપું છું.
રાજીનામાના 4 કારણો
(1) કેબિનેટમાં જે રીતે વિભાગોની ફાળવણી કરાઈ તેનાથી સિદ્ધૂ નાખુશ હતા.
(2) નવી કેબિનેટમાં સુખવિંદર સિંહ રંધાવાને ગૃહમંત્રી બનાવાયા, સિદ્ધુ અને તેમના સાથીઓને આ વાત ખટકતી હતી.
(3) અમૃતસર સુધાર ટ્રસ્ટનો લેટર ચરણજીત સિંહ ચન્ની દ્વારા આપવામાં આવ્યો જ્યારે સિદ્ધૂ ખુદ આ લેટર સોંપવા માગતા હતા.
(4) કેટલાક અધિકારીઓની બદલીથી સિદ્ધૂ ખુશ નહોતા.
એડવોકેટ જનરલની નિયુક્તીના મુદ્દે પણ ચન્ની અને સિદ્ધુ વચ્ચે ચડભડ ચાલી રહી હતી. સિદ્ધુ સુપ્રીમના પૂર્વ જજ કુલદીપ સિંહના પુત્ર ડીએસ પટવાલિયાને એડવોકેટ જનરલ બનાવવા માગતા હતા. આ નિયુક્તી ફાઈનલ પણ થઈ ગઈ હતી પરંતુ અચાનક વચ્ચે કાઉન્સિલના પૂર્વ અધ્યક્ષ અણમોલ રતન સિદ્ધુનું નામ ચાલવા લાગ્યું. તે ઉપરાંત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કોને બનાવવા તે અંગે પણ તેમની વચ્ચે કમેળ સર્જાયો હતો.